SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ તત્ત્વની સ્પર્શના તે નિશ્ચય સમ્યક્ત્વ. જેવું સ્વરૂપ પ્રભુનું છે, તેવું જ મારું છે, માત્ર કર્મથી દબાયેલું છે, એ વાત પર પૂર્ણ વિશ્વાસ – સંવેદનાત્મક પ્રતીતિ – સમ્યગ્દર્શન કરાવે છે. પ્રભુનું ધ્યાન તે નિશ્ચયથી આપણું જ ધ્યાન છે,-એમ સમ્યગ્ દર્શન શીખવે છે. ભગવાને આપણને કદી જુદા માન્યા નથી. આપણે જરૂર માન્યા છે. ભગવાને જુદા માન્યા હોય તો તેંઓ ભગવાન બની જ શક્યા ન હોત. તત્ત્વ ન જાણ્યું હોય તે જ ભગવાનને જુદા માને. અત્યારે પણ પ્રભુ આપણને – સંપૂર્ણ જગતને સત્ – ચિત્ – અને આનંદથી પરિપૂર્ણ માને છે. પોતાના જેવું જ સ્થાન બીજાને આપવું, એ રીતે જોવું એ પ્રેમની નિશાની નથી ? પોતાના જેવું જ ભોજન અપાય તો એના પર પ્રેમની જ નિશાની થઈ ને? ભગવાન્ આપણા સર્વ પર પ્રેમની વર્ષા કરી રહ્યા છે. આ પ્રેમની અનુભૂતિ આપણા હૃદયમાં થવી જોઈએ. પ્રભુ પણ જેને પોતાના સાધર્મિક બંધુ ગણતા હોય એ છકાયના જીવો પ્રત્યે અજયણાપૂર્વક વર્તન થાય ? પ્રભુના પરિવારનું અપમાન શી રીતે થઈ શકે ? સમ્યગ્દર્શન આવતાં જ સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય દૃષ્ટિ આવે છે. જીવોની રક્ષામાં જ મારી રક્ષા છે, એમ સમજાય છે. ‘આતમ સર્વ સમાન નિધાન મહા સુખકંદ; સિદ્ધતણા સાધર્મિક સત્તાએ ગુણવૃંદ.’’ આ સમ્યક્ત્વીના ઉદ્ગારો છે. પ્રભુએ જેને પ્યારા માન્યા તેને હું પ્યારા માનીને જીવન જીવું એ જ મુનિનું લક્ષ્ય હોય. જો આવું લક્ષ્ય ન હોય તો બધી દ્રવ્ય ક્રિયાઓ ગણાશે. પ્રાણ વગરના કલેવર જેવી ! બીજ વાવ્યા વિના ખેડૂતની મહેનત જેવી ! (૨૩) - ‘વિશ્વામ્યો ન પ્રમાદ્દરિપુઃ ।' શત્રુ બહાર નથી, આપણી અંદર જ છે. "खणं जाणाहि पंडिए" "समयं गोयम मा पमायए " ભગવાનના આ બધા સૂત્રો પ્રમાદ ઉડાડવા માટેના જ છે. – અન્યદર્શનીઓ પણ કહે છે ‘‘પ્રમાવ વ મનુષ્યાળાં શરીરહ્યો મારિવુઃ ।'' કહે કલાપૂર્ણસૂરિ Jain Education International ..... For Private & Personal Use Only ... ૮૭ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy