SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જાય. સાગરમાંથી જેમ રત્નો બહાર ન આવે. ૧૩) અવિષાદી :- પરલોકના કાર્યમાં ખેદ ન કરે. પરિષહોથી ઘેરાયેલા હોય તો પણ છકાયની હિંસા ન કરે, દોષ ન લગાડે. કોઈપણ કાર્યમાં કંટાળો ન લાવે. કર્મનિર્જરાના લાભને જ જુએ. ગ્રાહકોની ભીડ વખતે પણ વેપારી જેમ કંટાળે નહિ – સામે નફો દેખાય છે ને ? મળ્યા કરતાં વધુ કામ કરવું પડે તો કંટાળો આવે ? ‘સેવાનો લાભ મને જ મળે. કોઈપણ કામ મને સોંપજો.' એવા અભિગ્રહધારી મુનિ પણ હોય છે. કમલ વિ. મ. એવા હતા. સુરેન્દ્રનગરમાં (વિ. સં. ૨૦૧૪) ૫૫ ઠાણામાં સવારે એ જ જાય. તપસ્વી મણિપ્રભ વિ. પણ એવા જ. આહાર ખૂટે કે વધે બન્નેમાં તૈયાર. ૧૪) ઉપશમાદિ - લબ્ધિયુક્ત :- બીજાને પણ શાંત કરવાની શક્તિ. આ લબ્ધિ કહેવાય. પં. ભદ્રંકર વિ. મ. માં આ શક્તિ જોવા મળતી. ગમે તેવા ક્રોધીને શાંત કરી દેતા. ૧૫) ઉપકરણ લબ્ધિ :- સામગ્રી સામેથી મળે – એવું પુણ્ય હોય. ૧૬) સ્થિર લબ્ધિ :- દીક્ષા આપે તે સંયમમાં સ્થિર બની જાય. પૂ. કનક રૂ. મ. માં આવી લબ્ધિ જોવા મળેલી. ૧૭) પ્રવચનાર્થવકતા :- સૂત્ર – અર્થને કહેનાર. – ૧૮) સ્વગુરુપ્રદત્તપદ :-- ગુરુ ન હોય તો દિગાચાર્ય દ્વારા પદ પામેલા હોય. આવા ગુરુ જ દીક્ષા આપવાના અધિકારી છે. કાળના દોષથી આવા ગુરુન મળે તો ૨-૪ ગુણ ન્યૂન – ગુરુ પણ ચાલે. 'एतादृशेन गुरुणा सम्यक् विधिना प्रव्रज्या दातव्या, न तु स्वपर्षद् वृद्धयाशया । 'पानकादिवाहको मे भविष्यति' इति आशयः न सम्यक् । આવા ગુરુએ સમ્યગ્ વિધિપૂર્વક દીક્ષા આપવી. પોતાનો પરિવાર વધારવાના આશયથી કે પાણી વગેરે લાવવામાં કામ લાગશે, એવા આશયથી દીક્ષા નહિ આપવી જોઈએ. શિષ્યના અનુગ્રહ માટે જ (સ્વાર્થ માટે નહિ.) તથા તેનો હું સહાયક બનીશ તો મારા કર્મોનો પણ ક્ષય થશે, એ જ આશયથી દીક્ષા આપે. ૪૮ Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy