SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ દૂષિત વાણી (ખાણી-પીણી) જેની હોય તેનામાં મંત્રચૈતન્ય પ્રગટે નહિ. વાણીમાં વિકાર ન આવે તે જુઓ. * ૧૦૦૦ આરાધકોનો જાપ અશુભને ભસ્મીભૂત કરે, મંગળનો ધોધ વહેવડાવે, પ્રકૃતિને નમસ્કૃતિથી ભીંજવી નાખે. સામૂહિક જાપમાં પ્રત્યેક આરાધકને ૧૦૦૦ ગણો પ્રકાશ મળે છે. ૧૪ રાજલોકમાં મનોવર્ગણાના પુદ્ગલો ફેલાવી દે. પાવર કેટલો ? ૧ આરાધક ઃ ૧૦૦૦ આરાધક = ૧૦૦૦ H. P શક્તિનો સ્રોત = U૨૯૦ = વિસ્ફોટ. નવકાર શાન્તિનું ક્ષેપાસ્ત્ર, દિવ્ય ચેતનાનું અવતરણ, સુરક્ષાનું કવચ, પર્યાવરણની શુદ્ધિરૂપ સંકલ્પસિદ્ધ મંત્ર છે. પૂજ્યશ્રી : ‘સત્રે નીવા ન દંતવ્યા ।' આ પ્રભુની મુખ્ય આજ્ઞા છે. એનું પાલન કરે તેને તીર્થંકર-પદ મળે. આજ્ઞાનું આરાધન અહિંસાદ્વારા થાય. = ૧ H. P અહિંસાના રક્ષણ માટે જ શેષ ૪ વ્રતો છે. અહિંસાના પ્રશ્ન વ્યાકરણમાં ૬૦ પર્યાયવાચી શબ્દો છે. એમાં એક શબ્દ છે : શિવા. ‘અહં તિત્ત્વયામાયા શિવાલેવી...’ માં શિવાનો અર્થ અહિંસા-કરુણા કરી જુઓ પછી અર્થ કેવો બેસે છે ? અરિહંતની જ નહિ, પાંચે પરમેષ્ઠીની જનની અહિંસા છે, કરુણા છે. આજ્ઞા અને આજ્ઞા-પાલક એક છે. આજ્ઞાપાલન કર્યું કે પ્રભુહૃદયમાં આવ્યા. જડ કાગળના ટૂકડા પર લખેલા નામ માત્રથી તમે કલકત્તા સુધી પહોંચી ગયા ? શશીકાંતભાઈ ! નામની કેટલી તાકાત ? શશીકાંતભાઈ કલક્તા સુધી જઈ શકતા હોય તો ભગવાન આપણા હૃદયમાં કેમ ન આવે ? નામ લો ને ભગવાન હાજ૨ ! કહે કલાપૂર્ણસૂરિ Jain Education International ..... For Private & Personal Use Only ૪૪૯ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy