SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ અનુસંધાન ક્યાંથી રહે? અનુસંધ્યાનાત્મિકા ભક્તિ જોઈએ. ૪ પૂજા અંગ - અગ્ર - ભાવ-પ્રતિપત્તિ પૂજા. પ્રતિપત્તિ પૂજા એટલે આજ્ઞાપાલન. આજ્ઞાપાલન રૂપ પૂજા આવે. તો ભગવાન સાથે અભેદ સધાય. ગાથા – ૧૮. * ભગવાનનું ચરિત્ર યથાખ્યાત છે. ક્યાંય ન્યૂનતા નહિ. * અનંત વિજ્ઞાન: જ્ઞાનાતિશય, અતીતદોષ: અપાયાપગમાતિશય. અબાધ સિદ્ધાંતઃ વચનાતિશય, અમર્યપૂજ્યઃ પૂજાતિશય. આ ચાર વિશેષણો કલિકાલ સર્વશે આપ્યા છે. ગાથા – ૧૯. * માત્ર જ્ઞાનાદિની નહિ, પ્રભુ! આપની સાથે મારે ઓતપ્રોતની જરૂર છે. ખેતરમાં પાક થઈ જાય પછી વરસાદની જરૂર નથી તેમ, આપની સાથે ઓતપ્રોત થઈ ગયા પછી આપની જરૂર નથી. ગાથા – ૨૦. જ્ઞાન યથા.... રત્નનું તેજ કાચમાં ન આવે. પ્રભુ! આપના જેવું કેવળજ્ઞાનનું તેજ બીજા દેવોમાં ન હોઈ શકે. એક જ દેવ ઉપાસ્ય જોઈએ. એક સાથે ઘણા દેવ-દેવીઓની ઘણીવાર આરાધના કરીએ છીએ. આપણે ભલે બીજાનો અનાદર કરીએ, પણ સાથે સાથે સમકક્ષ પણ ન બનાવીએ. અમેરિકા આદિમાં અરિહંતની મૂર્તિ સાથે બીજી અનેક મૂર્તિઓ જોવા મળે. તેઓ કહેઃ અમે તો બધાને માનીએ. હું કહું આમ અરિહંતની ભક્તિ ન થાય, ન ફળે. ગાથા – ૨૧. પૂ. આચાર્યશ્રી... પ્રભુ! આપને જોયા પછી કોઈ જોવા લાયક લાગતું નથી. મારું મન આ ભવમાં જ કહે કલાપૂર્ણસૂરિ ......... ... ૪૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy