SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણાથી વચનાતિશય, માધ્યસ્થ્યથી જ્ઞાનાતિશય પ્રગટેલાં છે. ગાથા ૧૪ પ્રભુના ગુણો ૧ ૪ રાજલોકમાં ફેલાયા છે. ગુણોને કોઈ પ્રતિબંધ ક્યાંથી હોય ? પ્રભુ...! આપના ગુણો જો મારામાં આવ્યા હોય તો હું માનીશ કે આપ જ મારા હૃદયમાં આવ્યા. ભગવાનને હૃદયમાં લાવવા એટલે તેમના ગુણો લાવવા. ભગવાન શક્તિ અને ગુણરૂપે સર્વત્ર વ્યાપ્ત છે. B ગાથા ૧૫. બ્રહ્મચર્યનું વર્ણન. તેજસ્વી, યશસ્વી, વચસ્વી, વર્ચસ્વી પ્રભુ કોઈથી પણ ચલિત ન થાય. બ્રહ્મચર્ય અને બ્રહ્મચર્યામાં ફરક છે. બ્રહ્મમાં ચર્યા તે બ્રહ્મચર્યા. પાંચ પરમેષ્ઠી બ્રહ્મનું જ રૂપ છે. બ્રહ્મ – પ્રાગટ્ય : અરિહંત. બ્રહ્મ – સ્થિતિ : સિદ્ધ. બ્રહ્મ – ચર્યા : આચાર્ય. બ્રહ્મ – વિદ્યા : ઉપાધ્યાય. બ્રહ્મ – સેવા : ગાથા ઃ સાધુ. પ્રભુનું નામ લો અને બ્રહ્મચર્યની શક્તિ તમારામાં આવ્યા વિના ન રહે. ગાથા – ૧૬. ભગવાન અનસ્ત સૂર્ય છે. કેવળજ્ઞાનરૂપી સૂર્ય અસ્ત ન થાય. અપ્રગટ દીવાએ પ્રગટવું હોય તો પ્રગટ દીવા પાસે જવું પડે. આપણે અપ્રગટ છીએ. પ્રભુ પાસે જવું પડશે. * પ્રભુના દર્શનથી સંસાર લીલોછમ રાખવો નથી, પણ છોડવાનો છે. - ૧૭. * જ્ઞાનાતિશયથી જ્ઞાન-દીપ પ્રગટે. આપણી ચેતના ખંડિત છે. પ્રભુ પાસે અલગ, બીજે અલગ વાત કરીએ. આમાં ભક્તિનું ? ૪૪૦ Jain Education International For Private & Personal Use Only ..... કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy