SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ મંગળવાર, આસો વદ * સ્વાધ્યાયનું ૭મું ફળ પરોપદેશ-શક્તિ છે. આપણે જાતે શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરેલો હોય, જ્ઞાનના ફળ ઉપશમથી સ્વઆત્માને ભાવિત બનાવેલો હોય તો જ પર-ઉપદેશ માટેની ક્ષમતા કેળવી શકીએ. તો જ આપણો ઉપદેશ અસરકારક બની શકે. આવો સાધક લાકડાના જહાજની જેમ સ્વયં તરે અને અન્યોને પણ તારે તીર્થંકરો આનું ઉત્તમ ઉદાહરણ છે. * મા-બાપની સેવા કરનારને તેમની સંપત્તિ મળે તો ભગવાનની ભક્તિ કરનારને ભગવાનની સંપત્તિ ન મળે ? મા-બાપની સંપત્તિ કદાચ ન પણ મળે, પરંતુ ભગવાનની સંપત્તિ તો મળે જ મળે. ધન નહિ આપનારો કંજૂસ ગણાય તો જ્ઞાન નહિ આપનારો કંજૂસ ન ગણાય ? બીજાને આપવાથી જ આપણું જ્ઞાન વધે. = * કોઈપણ જ્ઞાન પાસે રાખવા માટે નથી હોતું, બીજાને આપવા માટે જ હોય છે. બીજાને નહિ આપીએ તે જ્ઞાન કટાઈ જશે. કહે કલાપૂર્ણસૂરિ .... ૧૦, ૨-૧૦-૯૯. Jain Education International ભણવા આવનારને ભણાવનાર ધૂત્કારે નહિ, વાત્સલ્યપૂર્વક ભણાવે. આમ કરવાથી અવ્યવચ્છિત્તિ (અખંડ પરંપરા) ચાલે. For Private & Personal Use Only ... ૪૧૯ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy