SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમતી પન્નાબેન દિનેશભાઈ રવજીભાઈ મહેતા પરિવાર આયોજિત ઉપધાન-તપ-પ્રારંભ, ૩૮૦ આરાધકો. બુધવાર, આ. વદ - ૩, ૨૭-૧૦-૯૯. * નવપદોની આરાધના કરવી એટલે આત્માના જ શુભભાવોની આરાધના કરવી. અરિહંતાદિ પદો આપણી જ વિશિષ્ટ અવસ્થાઓ છે. આપણામાંથી કોઈ અરિહંત બનીને કે કોઈ આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ બનીને સિદ્ધ બનવાના. આખરે સિદ્ઘ તો બનવું જ પડશે ને ? આજે કે કાલે, એના વિના ઉદ્ધાર તો નથી જ. * જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશુદ્ધ આરાધના એ જ જન્મમાં મુક્તિ આપે. કાળ, સંઘયણ, વગેરેની અનુકૂળતા ન મળે તો ૨ કે ૩ ભવ, ૭-૮ ભવ તો બહુ થઈ ગયા. આટલા ભવોમાં તો મોક્ષ મળવો જ જોઈએ. જ્યારે પણ સિદ્ધિ મળશે અરિહંતાદિની ભક્તિથી જ મળશે. તો શા માટે અત્યારથી જ અરિહંતાદિની ભક્તિ આરંભી ન દેવી ? * શુક્લધ્યાનના કુલ ચારમાંથી બે ભેદથી કેવળજ્ઞાન મળે, શેષ બે અયોગી ગુણઠાણે મળે. ધ્યાન વિચારમાં હમણાં જ ધ્યાનના કુલ ભેદો ૪ લાખ ૪૨ હજાર ત્રણસો અડસઠ (૪૪૨૩૬૮) વાંચી આવ્યા. ધ્યાન બે રીતે આવે. ૧) પુરુષાર્થથી અને ૨) સહજતાથી... ૩૯૬ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jamnelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy