SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ કાયોત્સર્ગમાં મન-વચન-કાયાની ચપળતાની ઈચ્છાનો નિરોધ થાય છે. સ્વાધ્યાય – ૧ ૨ પ્રકારમાં સ્વાધ્યાય જેવો તપ નથી. ‘સન્નાય-સમો તવોથ।' સ્વાધ્યાય એ બગીચાનો કૂવો છે, જ્યાંથી પાણી મળતું રહે છે. જિન-વાણી રૂપી પાણી અહીંથી જ મળે છે ને ? સ્વાધ્યાય તાજો તેના બધાય યોગો તાજા. ૨૪ ધ્યાનમાંના પ્રથમ ધ્યાનમાં આજ્ઞા વિચયાદિ છે. ભગવાનની આજ્ઞા સ્વાધ્યાય દ્વારા જાણવા મળે છે. * ‘ધમ્મો મંગલમુક્તિ’ માં સુવર્ણસિદ્ધિ પણ રહેલી છે, એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે. લોઢા જેવા આત્માને સુવર્ણ બનાવનાર ધર્મનો સુવર્ણસિદ્ધિ રસ છે. સ્વાધ્યાયમાં દુષ્ટ ધ્યાન (આર્તધ્યાનાદિ)ની ઈચ્છાનો રોધ થાય છે. પ્રશ્ન ઃ બીજા પદાર્થોની ઈચ્છા કરવી પડે છે. દુર્ધ્યાન તો પોતાની મેળે થયા કરે છે તો તે ઈચ્છારૂપ શી રીતે ? ઉત્તર ઃ દુર્ધ્યાન સ્વયં ઈચ્છારૂપ છે. દુર્ધ્યાન કરવાની ઈચ્છા ભલે ન હોય, પણ એ સ્વયં ઈચ્છારૂપ છે. આર્ત્તધ્યાનના ૪ પ્રકારોમાં ઈચ્છા જ દેખાય છે ને ? ઈષ્ટ ન મળવું, અનિષ્ટ મળવું – આ બધું શું છે ? પેલાને ચેલા મળ્યા, મને ન મળ્યા, આ બધી ઈચ્છાઓ જ છે ને ? પર-પરિણતિ સાથે ખૂબ પરિચય ર્યો છે. સ્વસાથે પરિચય કર્યો જ નથી. પ્રભુ સાથે કદી પરિચય કર્યો જ નથી. પ્રભુ આપણા છે એવું કદી લાગ્યું જ નથી. પ્રભુ માતા, પિતા, ભાઈ, બંધુ, ગુરુ, નેતા, અરે સર્વસ્વ છે, એમ અનુભવીઓ ભલે કહે, પણ એ આપણો અનુભવ બને ત્યારે કામ થાય.. * સ્વાધ્યાયમાં એકાગ્રતા આવી જાય એટલે ધ્યાન મળે. ધ્યાનના બે પ્રકારઃ ધર્મ ધ્યાન – સાલંબન ધ્યાન – મૂર્તિ આદિનું ધ્યાન. શુક્લ ધ્યાન – આત્માનું ધ્યાન – પરમ ધ્યાન. પરમાત્મા સાથે એકતા કરાવે તે ધર્મધ્યાન. આત્મા સાથે એકતા કરાવે તે શુક્લધ્યાન. કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only ૩૯૧ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy