SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર એટલે સ્વભાવમાં સ્થિરતા. * ‘‘અસાયં છુ ચારિત્ત વ્યસાય સહિઞો ન મુળી હોડ્ ।'' અકષાય એ જ ચારિત્ર. કષાયસહિત મુનિ ન હોય. * કષાય ચારિત્ર મોહનીય કર્મ છે, ચારિત્રાવરણીય કર્મની હાજરીમાં ચારિત્ર શી રીતે હોઈ શકે ? માટે જ કહું છું : જ્યારે તમે કષાય કરો છો, તે જ ક્ષણે ચારિત્ર ભાગી જાય છે. ચારિત્રની ચોખ્ખી વાત છે ઃ ‘જ્યાં કષાય હોય ત્યાં હું ન રહી શકું. તમારે કોને રાખવો છે ? કષાયને કે મને...?’ એક તરફ તમે કહો છો ઃ મારે સંસારમાં એવું નથી. ઝટપટ મોક્ષે જવું છે, ને બીજી તરફ તમે કષાય કર્યા કરો. આ શી રીતે ચાલે ? કષ = સંસાર આય = લાભ જે સંસારનો લાભ કરાવી આપે તે કષાય. * ‘“સર્વભૂતાવિનામૂર્ત સ્તં પશ્યન્ સર્વવા મુનિઃ । મૈાવિ-ભાવ-સંમન્નઃ વનેશાંશપ સ્પૃશેત્ ।।” સર્વ જીવો સાથે પોતાને અભિન્ન જોતો મુનિ કષાયને આધીન શી રીતે બને ? * સંસાર જો સાગર છે. તો ચારિત્ર જહાજ છે. મોટા પણ સમુદ્રનેનાનકડુંવહાણ તરી જાય છે. તેમ અનંત સંસારને એકભવનું ચારિત્રતોડી-ફોડીને એક બાજુ મૂકી શકે છે. દઢપ્રહારી, અર્જુનમાળી વગેરેએ શુંર્યું? છ મહિનામાં તો, આ ચારિત્રના પ્રભાવથી સંસારના ભૂક્કા કાઢી નાખ્યા. * નાના હતા ત્યારે આપણે ધૂળમાં રમતા હતા. હવે મોટા થઈ ગયા એટલે એ મૂકી દીધું. પણ પરભાવની રમણતા હજુ ક્યાં છોડી છે ? માટે જ જ્ઞાનીઓની નજરે હજુ આપણે બાળક જ છીએ. ચારિત્રથી ‘બાલતા’ જાય છે, ‘પાંડિત્ય’ આવે છે. * આત્મ સ્વભાવરૂપ ચારિત્ર આવતાં ક્ષમા પાંચમા પ્રકારની સ્વભાવક્ષમા બને છે. * ચારિત્રનો પ્રારંભ સામાયિકથી. ચારિત્રની પૂર્ણતા યથાખ્યાતમાં. - યોગસાર કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only ... ૩૮૧ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy