SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ શુક્રવારે, આ. સુદ ૧૨૧૩, ૨૨-૧૦-૯૯. * નિગોદથી સંયમ સુધી પહોંચાડનાર ભગવાન જ છે. આપણું પુણ્ય ભલે ઓછું હોય. ભગવાનનું પુણ્ય પ્રબળ છે. ઉત્તમ કુળાદિમાં જન્મ થવો આપણા હાથમાં હતું ? આ બધું કોણે ગોઠવી આપ્યું ? કદી ભગવાન યાદ નથી આવતા ? ગુરુ, વડીલ સર્વ જીવોનો પણ આપણા પર ઉપકાર છે. એટલી લાંબી નજર ન પહોંચે તો કમ સે કમ ભગવાનને તો યાદ કરો. મારી મહેનતથી મેં આ બધું મેળવ્યું કે વિદ્વાન બન્યો, એવું ન વિચારો, દેવ-ગુરુ પસાય’ વારંવાર બોલીએ છીએ, તે હૃદયથી બોલતાં શીખો. ધર્મની કિંમત વધારે કે તેને આપનારની ? ધનની કિંમત વધારે કે તેને આપનારની ? આપણે આપનારને ભૂલી જઈએ છીએ. ધન મળી ગયા પછી, આપનારને કોણ પૂછે છે ? બધું મળી ગયા પછી, ભગવાનને કોણ પૂછે છે ? હેમચન્દ્રસૂરિજી જેવા ભગવાનને કહે છે ઃ 'भवत्प्रसादेनैवाहमियतीं प्रापितो भुवम् ।” 66 ભગવન્ ! તમારી કૃપાથી જ હું આટલી ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યો છું. બાકી રહેલી ભૂમિકા (સિદ્ધિ) પર પણ ભગવાન જ પહોંચાડશે, એવી શ્રદ્ધા હોવી જોઈએ. કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only ... ૩૭૩ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy