SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તા : બેલેન્સ. આ તમારી પૈસાની ભાષામાં વાત સમજવી. આત્માની અનંત વીર્યશક્તિ સત્તામાં પડેલી છે. અધ્યાત્મશાસ્ત્ર કહે છે ઃ ‘‘પરમાત્મ તત્ત્વ તમારા નામે બેન્કમાં જમા છે. તમે ચાહો ત્યારે મેળવી શકો છો.’ પણ આપણને તે મેળવવાની કદી રુચિ જ થતી નથી. પણ આ બધી વાતોથી શું ? એ સ્વરૂપ મેળવો. મેળવવા મથો. ધૂમાડાથી પેટ નહિ ભરાય. ‘ધૂમાડે ધીજું નહિ સાહિબ. પેટ પડ્યા પતીજે’ એમ પ્રભુને કહો. સાધુપણા જેવી ઊંચી પદવી પામ્યા પછી પણ જો પરમ તત્ત્વની રુચિ ન હોય તો થઈ રહ્યું. * વસ્તુતત્ત્વ એટલે આત્મતત્ત્વ, પરમાત્મતત્ત્વ. એનું કારણ દેવ-ગુરુની આરાધના. એના પ્રત્યે બહુમાન જાગવું તે સમ્યક્ત્વ. આપણી બધી જ ક્રિયાઓ અંદર પડેલા પરમ ઐશ્વર્યને પામવાની ઝંખનાથી પેદા થયેલી હોવી જોઈએ. તો જ એ ક્રિયાઓ સત્ક્રિયા બને. સમ્યક્ત્વ એટલે અંદર પડેલી પ્રભુતાને પ્રગટાવવાની તીવ્ર ઈચ્છા ! ‘શુદ્ધ દેવ – ગુરુ – ધર્મ પરીક્ષા....’ સુદેવ, સુગુરુ, સુધર્મ એ જ મારા. બીજા કુદેવાદિ નહિ, આવી શ્રદ્ધા તેવ્યવહાર સમ્યક્ત્વ. * ઔપશમિક સમ્યગ્દર્શન પાંચ વાર, ક્ષાયોપશમિક અસંખ્યવાર અને ક્ષાયિક સમ્યગ્દર્શન એક જ વાર મળે. તે મોક્ષ આપીને જ રહે. હમણા આપણા ભાવો ક્ષયોપશમના છે. કેટલીયે વાર આવે ને જાય. માટે જ આપણે સાવધાની કેળવવાની છે. * ‘‘જે વિણ નાણ પ્રમાણ ન હોવે, ચારિત્ર-તરુ નવિ ફળ્યો...'' આપણી અંદર પડેલા જ્ઞાન અને ચારિત્ર સમ્યક્ત્વની રાહ જોઈ રહ્યા છે. કારણકે સમ્યક્ત્વથી જ તેઓ ઊજળા છે. સમ્યક્ત્વ સુવર્ણ-રસ છે, જેના સ્પર્શથી અજ્ઞાન, જ્ઞાન અને અચારિત્ર ચારિત્ર બની જાય છે. સમ્યક્ત્વ વગરના જ્ઞાન અને ચારિત્ર એટલે તલવાર વગરની મ્યાન ! માત્ર મ્યાનથી લડાઈ જીતી શકાય? ૩૭૨ ... Jain Education International For Private & Personal Use Only ..... કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.erg
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy