SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ - શાસનની ધુરાને વહન કરનાર, વાચના- દાનમાં સમર્થ ઉપાધ્યાયને નમસ્કાર હો! દ્વાદશ - અંગ સઝાય કરે છે, પારગ – ધારગ તાસ...” દ્વાદશ અંગનો સ્વાધ્યાય તો કરે જ, પણ પારગામી પણ હોય, ઘારક પણ હોય. સૂત્ર – અર્થનો વિસ્તાર કરનારા હોય. ટીકા વગેરે એના સાક્ષીઓ છે. હરિભદ્રસૂરિજીએદશવૈકાલિકના પ્રથમ અધ્યયનમાં જ કેટલો વિસ્તાર ર્યો છે? આવશ્યક ટીકામાં ઘણો વિસ્તાર છે, છતાં લખે છેઃ આ લઘુ ટીકા છે. ભાવિમાં કોઈ સમજશે, એમ સમજીને મહાપુરુષોએ ટીકા આદિ લખ્યું છે. “યાન - વિચાર’ ગ્રન્થ મને મળ્યો. હું આનંદિત થઇ ઊઠ્યો. મેં વિસ્તારથી લખ્યું : ભાવિમાં કોઈ જિજ્ઞાસુને કામ લાગશે. એ આશયથી લખ્યું છે. પણ હજુ સુધી એક પત્રનથી આવ્યો જેમાં પૂછાવ્યું હોય. મને આ નથી સમજાતું માર્ગદર્શન આપો. બોલે જ કોણ? પત્થર જેવા જડ શિષ્યમાં પણ જ્ઞાનના કૂંપળ ઉપાધ્યાયની કૃપાથી ફૂટી શકે. આવો મૂર્ખ, વિદ્વાન થઈ જાય, પછી એ ઉપકારી ઉપાધ્યાયને ભૂલી શકે? “રજકુંવર સરિખા ગણચિંતક...” આચાર્ય રાજા છે. તો ઉપાધ્યાય રાજકુમાર છે, યુવરાજ છે. યુવરાજ ભવિષ્યનો રાજા છે. ઉપાધ્યાય ભાવિના આચાર્ય છે. એમનો તો ભવ-ભય ટળ્યો, પરંતુ એમને વંદે તેનો પણ ભવ-ભય ટળે. કહે કલાપૂર્ણસૂરિ .... ૩૬૭ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy