SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ જિન છે, તેમ જાપક પણ છે. તીર્ણ છે તેમ તારક પણ છે. બુદ્ધ છે તેમ બોધક પણ છે. મુક્ત છે તેમ મોચક પણ છે. * આપણી મુશ્કેલી એ છે કે આ સંસાર જેલનથી લાગતો. બધા જ જેલમાં છે. પછી ખરાબ કોનું લાગે? જ્યાં સુધી આ સંસાર (એટલે કે રાગ-દ્વેષ)- જેલ નહિ લાગે ત્યાં સુધી તેમાંથી છુટવાની ઈચ્છા નહિ થાય. જેલને જ મહેલ માને તે ક્યાંથી છુટી શકે? * સાધુ સાધુપણામાં રહેતો એટલો સુખી બને, એટલો આનંદ ભોગવે કે દુનિયાનો કોઈપણ માણસ એની બરાબરી કરી શકે નહિ. માણસ તો ઠીક અનુત્તર વિમાનવાસી દેવો પણ બરાબરી કરી શકે નહિ. એક વર્ષના પર્યાયવાળો મુનિ પણ અનુત્તર દેવોથી અધિક સુખી હોય છે, એમ ભગવતી સૂત્ર કહે છે. આપણને જો આવા આનંદની કોઈઝલક જોવાનમળતી હોયતો આત્મ-નિરીક્ષણ કરવું જોઈએ. ક્યાં ખામી છે? તે શોધી કાઢવું જોઈએ. આપણી ખામીઓ આપણા સિવાય બીજો કોઈનહિશોધી શકે. આપણોખોવાયેલો આનંદ આપણે જ શોધવો પડશે. હક્કની વસ્તુ કોઈ ક્યારેય જતી ન કરે, પણ આપણા હક્કનો આનંદ આપણે જતો કરીએ છીએ. એ માટે કોઈ પ્રયત્ન કરતા નથી. આશ્ચર્ય છેને? * બહિરાત્મભાવમાં એટલા ખૂંપી ગયા છીએ કે એક મિનિટ પણ એમાંથી છૂટી નથી શકતા... અને છતાં આપણે જવું છે મોક્ષમાં? શી રીતે જઈશું મોક્ષમાં? એ માટેની કોઈ સાધના નથી. સાધના નથી, એનું કોઈ દુઃખ પણ નથી. બહિરાત્મભાવ છોડીને અંતરાત્મભાવમાં પણ આપણે આવવા તૈયાર નથી તો પરમાત્મભાવ મેળવવાનો અધિકાર કયા મોઢે કરી શકીએ? ક્યારેય પ્રભુ માટે તડપન જાગી? ક્યારે પ્રભુનો વિરહ લાગ્યો? ૩૪૪ ... Jain Education International ... કહે કલાપૂર્ણસૂરિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy