SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ “કરૂણાદષ્ટિ કીધી રે, સેવક ઉપરે; ભવભયભાવક ભાંગી ભક્તિ પ્રસંગ જો...” પ્રભુ કૃપાથી મોહનવિજયજી જેવી સ્થિતિ આપણી પણ કેમ ન બને? इच्छन्न परमान् भावान्, विवेकाद्रेः पत यधः । परमं भावमन्विच्छन्नाऽविवेके निमजति ।। પરમ ભાવોને ઈચ્છતો અવિવેકમાં સરી પડતો નથી. પરમ ભાવોને નહિ ઈચ્છતો વિવેક-પર્વત પરથી નીચે પડે છે. અશુભ યોગોથી જે પાપો બંધાય, તેનો નાશશુભભાવોથીજ થાય, અશુભભાવોથી તો ઉલ્ટા પાપોવધે. જે અપથ્ય આહારથી રોગ થયો હોય તે અપથ્ય આહારના ત્યાગથી જ રોગનો નાશ થઈ શકે. * આપણા દોષો આપણે જ પકડી શકીએ. બીજું કોણ પકડે? ૨૪ કલાક કાંઈ ગુરુ સાથેન હોય. કદાચ જાણે તો પણ ગુરુવારંવાર ટક-ટકનકરી શકે. સ્વમાન ઘવાય તો શિષ્યને ગુરુ પર પણ ગુસ્સો આવી જાય. એ તો જાતે જ કરવાનું છે. આ કામ આપણે નહિ કરીએ તો બીજું કોઈ નહિ કરી શકે. * શત્રુઓ હુમલા કરે ત્યારે કેટલું સાવધ રહેવું પડે? ૨૦૨૦માં હુંભુજપુર હતો. ત્યારે પાકિસ્તાનનું વિમાન એકદમ નીચેથી નીકળેલું ને જામનગર જઈ હુમલો. ર્યો એ જ અરસામાં ગુજરાતના મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાનું સુથરીમાં વિમાનમાં અવસાન થયેલું. કષાયોનો હુમલો પણ આવો જ હોય છે. આપણે સદા સાવધાન રહેવાનું છે. ........ કહે કલાપૂર્ણસૂરિ ૩૨૦ ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy