SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૉવવાર, ૧૦-૧૦-૯૯. આ. સુદ-૧. ઉત્તમ ધૃતિ, ઉત્તમ સંઘયણવાળા માટે શ્રમણધર્મ છે, અન્ય માટે શ્રાવકધર્મ છે. સમ્યગ્દર્શન પહેલા તીર્થંકરના ભવની પણ ગણત્રી નથી કરવામાં આવી તો આપણી તો વાત જ ક્યાં કરવી ? આપણા સૌનો ભૂતકાળ આવો એક સરખો છે ઃ અનંતા દુઃખોથી ભરેલો. હવે જો અહીં પ્રમાદ કરીશું તો એ ભૂતકાળ ફરીથી મળશે. એ જ દુઃખોમાં રીબાવું પડશે. પુનઃ પુનઃ તે જ સ્થાનોમાં તે જ ભાવોમાં જવું તે જ ચક્ર છે. સંસાર ચક્ર જ છે. * ઉત્તમ ક્ષમા, ઉત્તમ મૃદુતા, ઉત્તમ ઋજુતા, ઉત્તમ સંતોષ મળે ત્યારે જ શુકલધ્યાનના અંશની ઝલક મળી શકે. * ૧૧મા ગુણઠાણાવાળા પણ પડીને નિગોદમાં જઈ શકે તો આપણાથી, મળ્યું છે તેટલામાં સંતોષ માનીને પ્રમાદમાં કેમ પડી શકાય ? * અપ્રમત્તપણે સતત આત્મનિરીક્ષણ કરતા રહો. માયા કેમ થઈ ? અભિમાન ક્યાંથી આવ્યું ? ગુસ્સો કેમ આવ્યો ? આપણે આત્મનિરીક્ષણ નહિ કરીએ તો કોણ કરશે ? આત્મનિરીક્ષણ વિના દોષો નહિ ટળે. જે પાપો થયા હોય તેનું પ્રાયશ્ચિત્ત કરો. ગુરુ સાક્ષીએ ગહ અને આત્મસાક્ષીએ નિંદા કરો. આપણા પરિણામો પડીને સાવ જ ચૂર – ચૂર થઈ જાય તે પહેલા તેને પકડી લો. બરણી વગેરે ઘણીવાર પડી જતી હોય છે, ત્યારે વચ્ચેથી જ કેવા પકડી લઈએ છીએ ? કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only ... ૩૨૧ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy