SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભગવાનને પકડે છે. આ વાનરી ભક્તિ. દા.ત. અભયકુમાર ભગવાન ભક્તને પકડે છે. આ માર્જોરી ભક્તિ. દા.ત. ચંડકૌશિક. અભયકુમારે ભગવાનને પકડ્યા હતા. યેન કેન પ્રકારેણ દીક્ષા લઈ ભગવાનનું શરણું લીધું હતું. જ્યારે ચંડકૌશિકને તારવા ભગવાન સામે ચડીને ગયા હતા. *નીયાત્ પુછ્યાંાખનની, પાનની શોધની 7 મે । મારા પુણ્યરૂપ શરીરને જન્મ આપનારી, તેનું પાલન શોધન કરનારી માતા જય પામો. માતા શું કરે છે ? બાળકને જન્મ આપે, ઉછેરે, સાચવે અને સાફ કરે. મા સિવાય આ કામ કોણ કરી શકે ? યાદ છે આ બધું ? શૈશવને યાદ કરો. પારણામાં સૂતેલા હતા ત્યારે કોણ ઝૂલાવતું ? કોણ હાલરડા ગાતું ? કોણ દૂધ પીવડાવતું ? કોણ દેરાસરે લઈ જતું ? કોણ નવકાર શીખવતું ? આવા સંસ્કાર અપનાર માતા શી રીતે ભૂલાય ? એની અવગણના શી રીતે થઈ શકે? ૪૦૦ સાધકોમાં મા ની અવગણના કરનારો કોઈ નહિ જ હોય. એવાને અહિં આવવાનું મન પણ ન થાય. આપણે રડતા’તા ને મા દોડતી આવતી, આપણે ભૂખ્યા થતા’ને મા દૂધ પીવડાવતી. આપણે પથારી બગાડતા ને મા તે કાઢીને સૂકી પથારીમાં સૂવડાવતી. આવી મા તમે ભૂલો ખરા ? ભગવાન પણ જગતની મા છે, જગદંબા છે. મદ્રાસમાં એવી હાલત થયેલી, તબિયત એટલી ખરાબ થયેલી કે જવાની તૈયારી, મુહપત્તીના બોલ પણ ન બોલી શકું. આવી અવસ્થામાં મને ઉગારનાર કોણ ? મા સિવાય કોણ ? ભગવાનમાં હું ‘મા’ના દર્શન કરૂં છું. એમણે આવીને મને બચાવી લીધો. આજે મને લાગે છે ઃ ભગવાને મને જાણે પુનવતાર આપ્યો. ‘‘મળો વિપ્પળામો, ગાયા વિળયા - સહાÈિ’ નિર્યુક્તિમાં આમ શ્રી ભદ્રબાહુસ્વામીને પંચ પરમેષ્ઠીના ગુણો ગણાવ્યા છે. અરિહંત માર્ગદાતા છે. સિદ્ધ અવિનાશી છે. આચાર્ય આચાર-પાલક અને આચાર-પ્રસારક છે. કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only : ૩૧૩ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy