SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ તમારા એશ-આરામની અમે પ્રશંસા ન કરીએ. ઉદારતા-દાન આદિની જરૂર કરીએ. ‘‘જે કોઈ તારે નજરે ચડી આવે, કારજ તેહના સફળ કર્યા’’ભગવાનની નજરે ચડે તેના કાર્ય સિદ્ધ ન થાય, એ વાતમાં કોઈ માલ નથી. ભક્ત તો કહેશે ઃ ભગવન્ ! તમે વીતરાગ થઈને છૂટી નહિ શકો, હું છોડવાનો જ નથી. * ભગવાનનો સંઘ આવો કૃપણ અને તુચ્છ કેમ ? પંન્યાસજી મ. બહુ જ ચિંતિત રહેતા હતા. પરોપકાર, મૈત્રી, નમ્રતા આદિનો સંઘમાં સંચાર થાય તે માટે ખૂબજ પ્રયત્નશીલ હતા. , મને પણ એક વાર કહ્યું : ‘તમને ધ્યાન-વિચાર પર લખતાં આવડે છે, ‘પરસ્પરોપગ્રહો નીવાનામ્’ પર લખતાં નથી આવડતું ? જીવોનો ઉપકાર યાદ નથી આવતો ? તમારો જન્મ ક્યારે ?' મેં કહ્યું ઃ ‘વિ. સં. ૧૯૮૦માં’ “ઓહ ! તો તમારો દોષ નથી. પહેલા વિશ્વયુદ્ધ પછી લોકોના હૃદયમાંથી દયાભાવના ચાલી ગઈ. કાળ જ એવો ખતરનાક છે.’’ પૂં મહારાજે કહ્યું. * ધર્મ વધારે વહાલો કે પ્રાણ ? ત્રીજી દષ્ટિવાળાને ધર્મ વહાલો લાગે. ધર્મમાટે પ્રાણ પણ છોડવા તૈયાર થઈ જાય. પ્રાણ છોડવા તૈયાર થઈ જાય એ ધનનો તો આસાનીથી ત્યાગ કરવા તૈયાર થઈ જશે. * ૩।। ક્રોડ શ્લોકના રચયિતા હેમચન્દ્રસૂરિજી કહે છે : ભગવન્ ! હું આપની પાસે પશુથી પણ પશુ છું, જ્યારે આપણે થોડુંક જાણી લઈને ધરતીથી અદ્ધર ચાલવા લાગીએ છીએ. * મૈત્રી અંગે વિવાદ થયો ત્યારે પંન્યાસજી મહારાજે એ માટે ઢગલાબંધ પાઠો આપ્યા, પણ ચર્ચા ન કરી, વિવાદ ન કર્યો. મારી મૈત્રીની વાતથી જ જો અમૈત્રી થતી હોય તો એ પણ ન જોઈએ, પંન્યાસજી મ. પરમ મધ્યસ્થતા તરફ ચાલ્યા ગયા. પ્રભુમાં ગુણ, પુણ્ય આદિનો પ્રકર્ષ રહેલો છે. આથી જ તેઓ અચિત્ત્વ શક્તિના સ્વામી બનેલા છે. નિર્મળ પ્રજ્ઞાવાળાને જ આ સમજાશે. પંચસૂત્રની આ વાત ‘ગચિંત્ત સત્તિનુત્તા હિ તે માવંતો' નિર્મળ બુદ્ધિવાળાને જ સમજાશે. ભગવાનની અચિત્ત્વ શક્તિ જાણવા એવી દૃષ્ટિ ખુલવી જોઈએ. ૩૦૨ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy