SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ગ. Eા Sતા RT રાપ :: . v[l - - પદક, 4 વિ ગુજ, ૨૩-૯-૯૯, ભા. સુદ-૧3. * પુષ્પરાવર્તની ધારા એટલી પ્રબળ હોય છે કે એનું પાણી જમીનમાં ખૂબ ઊંડે જાય છે, પછી વર્ષો સુધી વરસાદ ન પડે તોય પાક થયા કરે. ભગવાનની વાણી પણ પુષ્કચવમેઘ જેવી છે. ૨૧ હજાર વર્ષ સુધી કામ કરશે, સર્વવિરતિનો પાક થયા જ કરશે. * જેટલી શક્તિઓ કેવળજ્ઞાનીમાં પ્રગટરૂપે દેખાય છે, તે બધી જ શક્તિઓ બધા જ જીવોમાં પ્રચ્છન્નરૂપે રહેલી જ છે. આપણું ભાવિ પ્રગટ સ્વરૂપ અત્યારે પણ કેવળજ્ઞાનીઓને પ્રગટ છે. એકના નાણા ઊધાર છે, બેન્કમાં જમા છે બીજાના નાણા રોકડા છે. જીવ અને શિવમાં આ જ ફરક છે. શિવનું ઐશ્વર્યા રોકડું છે. આપણું ઉધાર ! આપણું ઐશ્વર્ય કોઈએ (કર્મસત્તા) દબાવી દીધું છે. આપણે ઉઘરાણી કરી શકતા નથી. આપણે માલિક છીએ. ઉઘરાણી કરી શકીએ તેમ છીએ. આપણું આ સ્વામિત્વ જગાડવા જ આ ધર્મશાસ્ત્રાદિ છે. ભાવિમાં રોકડું થનારું આપણું ઐશ્વર્ય આજે પણ કેવળજ્ઞાનીઓ પ્રત્યક્ષ જોઈ રહ્યા છે. પરંતુ આજે તો આપણે ભિખારી છીએ. છતે પૈસે કંગાળ છીએ. હાથમાં કંઈ નથી. મુંબઈના કેટલાક બિલ્ડર્સોના પૈસા જમીનમાં રોકાઈ ગયા હોય, જમીનના ભાવ ગગડી રહ્યા હોય, તેના જેવી આપણી સ્થિતિ છે. પૈસા આપણા હોવા છતાં આપણી પાસે નથી. કહે કલાપૂર્ણસૂરિ .. ... ૨૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy