SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યસન આપણને સૌને છે. ભગવાનને પરોપકાનું વ્યસન છે. ‘માવત્નમેતે પરાર્થવ્યસનિને ' નિગોદ વખતે પણ પરોપકાર ચાલુ હોય તો તીર્થકરના ભવમાં, જ્યારે શક્તિઓ પરાકાષ્ટાએ પહોંચી છે, ત્યારે પરોપકાર કેમ ન કરે? દાનનું વ્યસન હોય ને પાસે ખૂબ પૈસા હોય તો કોણ દાન ન કરે? ઓટરમલજી (મદ્રાસ) અહીં બેઠા છે. આજે જ બે લાખનું દાન ક્યું * જમતી વખતે તમે રોટલી, શાક, મીઠાઈ વગેરે જેનું નામ લો છો, તે વસ્તુ મળી જાય છે ને? જે વ્યક્તિને તમે બોલાવો, તે વ્યક્તિ હાજર થઈ જાય છેને? તો પરોપકાર પરાયણ ભગવાનનું તમે નામ લો તો તેઓ હાજર કેમ ન થાય? નામથી પ્રભુ સામીપ્યની અનુભૂતિ થાય. નામ ગ્રહતા આવી મિલે, મન ભીતર ભગવાન...' પ્રભુ આપણા હૃદયમાં આવ્યા એનો અર્થ એ કે આપણો ઉપયોગ પ્રભુમય થયો, ઉપયોગમાં પ્રભુ આવ્યા. ઉપયોગપૂર્વક તમે પ્રભુ-નામ લો છો ત્યારે પ્રભુમય જ બનો છો. * વાણી ૪ પ્રકારઃ વૈખરી: મુખમાં, મધ્યમા કંઠમાં, પશ્યન્તી: હૃદયમાં, પરા: જ્ઞાનમાં જે વાણીથી તમે પોકારો તે રૂપે પ્રભુ આવી મળે. * આરીસાની સામે ઊભા રહો, તમારું પ્રતિબિંબ પડે જ. આપણો ઉપયોગ નિર્મળ આરીસા જેવો હોય ત્યારે પ્રભુ આપણામાં પ્રતિબિંબિત બને જ. ઉપયોગમાં રહેલા ભગવાનને ઓળખી શકીએ એવી હજુ આપણામાં ક્ષમતાનથી. તેથી જ પ્રભુ દૂર લાગે છે. ૨૪૬ ... Jain Education International 2 ss man nienational ...... કહે કલાપૂર્ણસૂરિ For Private & Personal Use Only For Private Personal use only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy