SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ - ક ર તે આ 'ને f / ને Site" મંગળ ૨૪-૮-૯૯, શ્રા. સુદ-૧3 * ડૂબતાને જહાજ, અંધારામાં અથડાતાને દીપક, મારવાડમાં બપોરે વૃક્ષ, હિમાલયની ઠંડીમાં અગ્નિ મળે તેમ અસાર સંસારમાં આપણને તીર્થ મળ્યું છે. સભ્ય દર્શન રાજમાર્ગ છે. માર્ગાનુસારિતા ત્યાં પહોંચાડનારી પગદંડી છે. માર્ગ સાવ જ ભૂલી જઈએ, ત્યારે આપ મેળે આપણને સાચો રસ્તો નથી મળતો, કોઈ ભોમિયાની જરૂર પડે છે. જેને ચાલવાની આદત છે, જે રસ્તો ભૂલ્યા છે, તેમને આ વાત સમજાશે. ભગવાન પણ સંસારના જંગલમાં ભૂલેલા આપણા માટે ભોમિયા છે. અનેક મતભેદો છે; આ સંસારમાં. એમાં આપણને ફાવતો મત આપણે પકડી લઈએ છીએ. ભગવાને કહ્યો તે નહિ, આપણને ફાવે તે માર્ગ સાચો માની લઈએ છીએ. આવી મનઃસ્થિતિને બદલાવનાર ભગવાન છે. * જ્યારે પણ મોક્ષ મળશે ત્યારે કર્મબંધનના હેતુઓથી નહિ, કર્મનિર્જરાના હેતુઓથી મળશે. મિથ્યાત્વ - અવિરતિ – પ્રમાદ – કષાય - યોગ સંસાર માર્ગ છે. સમ્યકત્વ - વિરતિ – અપ્રમાદ – અકષાય - શુભયોગ મોક્ષમાર્ગ છે. આપણે ક્યા માર્ગે ચાલવું છે? રસ્તાઓ ઘણા દેખાવાના. તે વખતે માથું ઠેકાણે રાખીને એક જિનોપદિષ્ટ નિશ્ચિત માર્ગ પર ચાલવાનો નિર્ણય રાખવો પડશે. * આપણા શરીરને આપણે કેટલું સાચવીએ છીએ? જરાય તકલીફ ન થાય તેની પૂરી તકેદારી રાખીએ છીએ. એવું જ વર્તન જગતના તમામ જીવો સાથે, છકાયના ૧૭૬ ... .... કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy