SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ જૈન ધર્મ-દર્શન અહિંસાને કેન્દ્ર માનીને અમૃષાવાદ, અસ્તેય, અમૈથુન અને અપરિગ્રહનો આદર્શ સામે રાખવામાં આવ્યો. જીવનને યથાશક્તિ સ્વાવલંબી, સાદું અને સરળ બનાવવા માટે જ શ્રમણ પરંપરાએ આ બધી વાતોને અધિક મહત્ત્વ આપ્યું. અસત્યનો ત્યાગ, અનધિકૃત વસ્તુનું અગ્રહણ અને સંયમનું પરિપાલન અહિંસાની પૂર્ણ સાધના માટે આવશ્યક છે. સાથે સાથે જ અપરિગ્રહનો જે આદર્શ છે તે બહુ જ મહત્ત્વપૂર્ણ છે. પરિગ્રહ સાથે આત્મવિકાસને ઘોર શત્રુતા છે. જ્યાં પરિગ્રહ રહે છે ત્યાં આત્મવિકાસ નથી રહી શકતો. પરિગ્રહ મનુષ્યના આત્મપતનનું બહુ મોટું કારણ છે. બીજા શબ્દોમાં, પરિગ્રહ પાપનો બહુ મોટો સંગ્રહ છે. જેટલો પરિગ્રહ વધે છે તેટલું જ પાપ પણ વધે છે. માનવસમાજમાં વૈષમ્ય ઉત્પન્ન કરવા માટે સૌથી વધુ જવાબદાર છે પરિગ્રહબુદ્ધિ. પરિગ્રહનું બીજું નામ છે ગ્રન્જિ. જેટલી વધારે ગાંઠો મારવામાં આવે છે તેટલો જ પરિગ્રહ વધે છે. કોઈની ગાંઠ મન સુધી જ સીમિત રહે છે તો કોઈ બાહ્ય વસ્તુઓની ગાંઠો બાંધે છે. આ ગાંઠ જ્યાં સુધી નથી ખુલતી ત્યાં સુધી વિકાસનાં દ્વાર બંધ રહે છે. મહાવીરે ગ્રન્થિભેદન પર બહુ અધિક ભાર આપ્યો છે. તેથી તેમનું નામ નિર્ચન્જ પડી ગયું. અને તેમની પરંપરા પણ નિર્ચન્થસમ્પ્રદાયના નામે પ્રસિદ્ધિ પામી. જૈન પરંપરા સિવાય બીજી કોઈ પરંપરાને આ નામ નથી આપવામાં આવ્યું. અપરિગ્રહનો માર્ગ વિશ્વશાન્તિનો પ્રશસ્ત માર્ગ છે. આ માર્ગનું ઉલ્લંઘન કરનારો જગતને સ્થાયી શાન્તિ નથી આપી શકતો. તે પોતે જ પતનોનુખ બને છે, સાથે સાથે જ અન્ય પ્રાણીઓને પણ પદય્યત કરે છે – નીચે પાડે છે. સ્વાધીનતાની રક્ષા માટે અપરિગ્રહ અત્યન્ત આવશ્યક છે. આચારની આ ભૂમિકાએ કર્મવાદનો જન્મ થાય છે. કર્મવાદનો અર્થ છે કાર્યકારણવાદ. પ્રત્યેક કાર્યનું કોઈ ને કોઈ કારણ હોય છે અને પ્રત્યેક કારણ કોઈ ને કોઈ કાર્યને ઉત્પન્ન કરે છે. આ કારણ અને કાર્યનો પારસ્પરિક સંબંધ જ જગતની વિવિધતા અને વિચિત્રતાની ભૂમિકા છે. આપણું કોઈ કર્મ વ્યર્થ જતું નથી. આપણને કોઈ પણ પ્રકારનું ફળ કર્મ કર્યા વિના મળતું નથી. કર્મ અને ફળનો આ અવિચ્છેદ્ય સંબંધ જ આચારશાસ્ત્રનો પાયો છે. એ એક અલગ પ્રશ્ન છે કે વ્યક્તિનાં કર્મોનો સમાજ ઉપર શું પ્રભાવ પડે છે અને સમાજનાં કર્મો વ્યક્તિના જીવનનિર્માણમાં કેટલે અંશે જવાબદાર છે? એટલું નિશ્ચિત છે કે કર્મ કર્યા વિના કોઈ પણ પ્રકારનું ફળ મળતું નથી. કારણ વિના કોઈ કાર્ય ઉત્પન્ન થઈ શકતું નથી. કર્મવાદનો અર્થ એ જ છે કે વર્તમાનનું નિર્માણ ભૂતના આધાર પર થાય છે અને ભવિષ્યનું નિર્માણ વર્તમાનના આધાર પર થાય છે. વ્યક્તિ પોતાની મર્યાદા અનુસાર વર્તમાન અને ભવિષ્યને પરિવર્તિત કરી શકે Jain Education International For Private & Personal Use Only • WWW.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy