SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ તત્ત્વવિચાર વહેતી રહી છે. પ્રાચીનતા અને નવીનતાનો સંઘર્ષ બરાબર ચાલતો રહ્યો છે. આ સંઘર્ષમાં નવીનતા પલ્લવિત થતી રહી, પરંતુ પ્રાચીનતા સર્વથા નષ્ટ ન થઈ શકી. નવીનતા અને પ્રાચીનતા બન્નેનું યશોચિત સમ્માન થતું રહ્યું. કોઈક વખત પ્રાચીનતાને વિશેષ સમ્માન મળ્યું તો કોઈક વાર નવીનતાનો વિશેષ આદર થયો. વિવિધતાઓનાં આમ તો અનેક રૂપો રહ્યાં છે, પરંતુ આ બધી વિવિધતાઓને બે પરંપરાઓમાં વહેંચી શકાય – એક વૈદિક પરંપરા અને બીજી અવૈદિક પરંપરા. આ બન્ને પરંપરાઓ ક્રમશઃ બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરા નામથી પ્રસિદ્ધ છે. બ્રાહ્મણ પરંપરા અધિક પ્રાચીન છે કે શ્રમણ પરંપરા? આ પ્રશ્નનો સંતોષપ્રદ ઉત્તર આપવો જરા કઠિન છે. બ્રાહ્મણ પરંપરાનો પ્રાચીનતમ ઉપલબ્ધ આધાર વૈદિક સાહિત્ય છે. વેદોથી વધુ પ્રાચીન સાહિત્ય દુનિયાના કોઈ પણ ભાગમાં ઉપલબ્ધ નથી. દુનિયાની કોઈ પણ બીજી સંસ્કૃતિ આટલા પ્રાચીન સાહિત્યનો દાવો નથી કરી શકતી. આ એક ઐતિહાસિક સત્ય છે. આ સત્યના આધાર ઉપર બ્રાહ્મણ સંસ્કૃતિનો એ દાવો છે કે તે દુનિયાની પ્રાચીનતમ સંસ્કૃતિ છે. બીજી બાજુ શ્રમણ સંસ્કૃતિના ઉપાસક એ દાવો કરે છે કે શ્રમણ સંસ્કૃતિ કોઈ પણ દષ્ટિએ વૈદિક સંસ્કૃતિથી ઓછી પ્રાચીન નથી. ઔપનિષદિક સાહિત્ય, જે વેદો (સંહિતામંત્રભાગ) પછીનું સાહિત્ય છે, શ્રમણ પરંપરાથી પૂરેપૂરું પ્રભાવિત છે. વૈદિક માન્યતાઓનો ઉપનિષદૂના તત્ત્વજ્ઞાન સાથે બહુ મોટો વિરોધ છે. જે આચાર અને વિચાર વેદોમાં મળે છે તેમનાથી ભિન્ન આચાર-વિચાર ઉપનિષદોમાં મળે છે. એ સાચું કે ઉપનિષદો બ્રાહ્મણ પરંપરા દ્વારા માન્ય છે, પરંતુ તેનો અર્થ એ નહિ કે તે શ્રમણ પરંપરાના પ્રભાવથી સર્વથા અસ્પષ્ટ છે. હકીકતમાં ઉપનિષદોનું નિર્માણ કરનારા ઋષિઓએ વૈદિક માન્યતાઓ પ્રતિ એક જાતનો છૂપો વિદ્રોહ કર્યો અને એ વિદ્રોહની પાછળ શ્રમણ પરંપરાનો મુખ્ય હાથ હતો. બ્રાહ્મણ પરંપરાનો દાવો કે તે ભારતની યા વિશ્વની સૌથી પુરાણી સંસ્કૃતિ છે, એ બરાબર નથી. તેવી રીતે શ્રમણ પરંપરાની એ ધારણા કે તેના પ્રભાવથી ઉપનિષદોના ઋષિઓની દષ્ટિમાં અકસ્માતુ પરિવર્તન થયું, મિથ્યા છે. આ બન્ને ધારણાઓ એટલા માટે ખોટી છે કે તેમનો આધાર માત્ર ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે. કેટલાક હજાર વર્ષોના ઉપલબ્ધ સાહિત્યને જોઈને કેવળ તેના ઉપરથી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચી જવું એ સૌથી મોટી ઐતિહાસિક ભૂલ છે. કઈ ધારા પ્રાચીન છે, એનો જ્યારે આપણે નિર્ણય કરીએ છીએ ત્યારે તેનો અર્થ થાય છે– કઈ સૌથી પ્રાચીન છે. જ્યાં સૌથી પ્રાચીનતાનો પ્રશ્ન આવે છે ત્યાં ઐતિહાસિક દષ્ટિ કદી સફળ થતી નથી, કારણ કે તે સ્વયં અધૂરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy