SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૧ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય વિ.સં. ૧૩૮૯માં સોમતિલકે એક ટીકા લખી. બીજી ટીકા ગુણરત્ન લખી જે અધિક ઉપાદેય બની. આ ટીકા પંદરમી શતાબ્દીમાં લખાઈ. આ જ શતાબ્દીમાં મેરૂતુંગે ષડ્રદર્શનનિર્ણય નામનો ગ્રન્થ રચ્યો. રાજશેખરે ષડ્રદર્શનસમુચ્ચય, સ્યાદ્વાદકલિકા, રત્નાકરાવતારિકાધંજિકા આદિ ગ્રન્થો લખ્યા. તેમણે પ્રશસ્તપાદભાષ્યની ટીકા કન્ટલી ઉપર પણ પંજિકા લખી. જ્ઞાનચન્દ્ર રત્નાકરાવતારિકાધંજિકાટિપ્પણ લખ્યું. ભટ્ટારક ધર્મભૂષણે ન્યાયદીપિકા લખી જે જૈન ન્યાયશાસ્ત્રનો પ્રારંભિક ગ્રન્થ છે. સાધુ વિજયે સોળમી શતાબ્દીમાં વાદવિજય અને હેતુબંડન નામના બે ગ્રંથો લખ્યા. યશોવિજય તત્ત્વચિન્તામણિ નામના ન્યાય ગ્રન્થથી ન્યાયશાસ્ત્રનો એક નવો અધ્યાય શરૂ થાય છે. તેનું શ્રેય વિક્રમની તેરમી શતાબ્દીમાં મિથિલામાં જન્મેલા ગંગેશ નામના પ્રતિભાસમ્પન્ન નૈયાયિકને છે. તત્ત્વચિન્તામણિ નવીન પરિભાષા અને નૂતન શૈલીમાં લખાયેલો એક અદ્ભુત ગ્રન્થ છે. તેનો વિષય ન્યાયસમ્મત પ્રત્યક્ષ આદિ ચાર પ્રમાણો છે. આ ચાર પ્રમાણોની સિદ્ધિ માટે ગંગેશે જે પરિભાષા, તર્ક અને શૈલીનો પ્રયોગ કર્યો તે ન્યાયશાસ્ત્રના ક્ષેત્રમાં એક બહુ મોટી ક્રાન્તિ હતી. ન્યાયના શુષ્ક અને નીરસ વિષયમાં એકત્તા રસનો સંચાર કરવો અને તેને આકર્ષણની વસ્તુ બનાવી દેવી એ કંઈ સામાન્ય વાત ન હતી. ગંગેશે જે નૂતન અને સરસ શૈલીને જન્મ આપ્યો તે શૈલી ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જ રહી. ચિન્તામણિના ટીકાકારોએ આ નવીન ન્યાયગ્રન્થ પર એટલી જ મહત્ત્વપૂર્ણ ટીકાઓ લખી. ન્યાયશાસ્ત્ર પ્રાચીન અને નવીન ન્યાયોમાં વિભક્ત થઈ ગયું. આ યુગનો એટલો અધિક પ્રભાવ પડ્યો કે બધા દાર્શનિકો પોતપોતાના દર્શનને નવીન ન્યાયની ભૂમિકા પર પરિષ્કૃત કરવા લાગ્યા. આ શૈલીનું અનુસરણ કરીને જેટલા પણ ગ્રન્થો રચાયા તેમનું દર્શનના ઇતિહાસમાં ઘણું મહત્ત્વ છે. પ્રત્યેક દર્શન માટે એ આવશ્યક બની ગયું કે જો તે જીવિત રહેવા ઇચ્છતું હોય તો નવીન ન્યાયની શૈલીમાં પોતાના પક્ષની તે સ્થાપના કરે. આટલું થવા છતાં પણ જૈનદર્શનના આચાર્યોનું ધ્યાન આ તરફ બહુ શીધ્ર ન ગયું. સત્તરમી શતાબ્દીના અન્ત સુધી જૈનદર્શન પ્રાચીન પરંપરા અને શૈલીના ચક્કરમાં જ પડ્યું રહ્યું. જ્યારે અન્ય દર્શનો નવીન સાજ સજી રંગમંચ ઉપર આવી ચૂક્યા હતા ત્યારે જૈનદર્શન હજુ તો પડદાની પાછળ આળસ મરડી રહ્યું હતું. યશોવિજયે અઢારમી શતાબ્દીના પ્રારંભે જૈનદર્શનને નવો પ્રકાશ આપ્યો. વિ.સં. ૧૬૯૯માં અમદાવાદના જૈનસંઘે આચાર્ય ન વિજય અને યશોવિજયને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy