SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ જૈન ધર્મ-દર્શન ચલાવી ન હોય. વ્યાકરણ, કોશ, છન્દ, અલંકાર, કાવ્ય, ચરિત્ર, ન્યાય આદિ અનેક વિષયો ઉપર તેમણે વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થો લખ્યા. પ્રમાણશાસ્ત્ર ઉપર આચાર્ય હેમચન્દ્રનો પ્રમાણમીમાંસા ગ્રન્થ અત્યન્ત મહત્ત્વપૂર્ણ છે. તેમાં પહેલાં સૂત્ર છે અને પછી તેમના ઉપર સ્વોપન્ન વ્યાખ્યા છે. આ ગ્રન્થની સૌથી મોટી વિશેષતા એ છે કે આ સૂત્ર અને વ્યાખ્યા બન્નેને ભેગાં કરો તો પણ ગ્રન્થ મધ્યકાય છે. તે ન તો પરીક્ષામુખ કે પ્રમાણનયતત્ત્વાલોક જેટલો સંક્ષિપ્ત છે કે ન તો પ્રમેયકમલમાર્તંડ કે સ્યાદ્વાદરત્નાકર જેટલો વિશાલ. તેમાં ન્યાયશાસ્ત્રના મહત્ત્વપૂર્ણ પ્રશ્નોનું મધ્યમ પ્રતિપાદન છે. આ ગ્રન્થને સમજવા માટે ન્યાયશાસ્ત્રની પૂર્વભૂમિકા જાણવી અત્યન્ત આવશ્યક છે. દુર્ભાગ્ય છે કે આ ગ્રન્થ પૂર્ણ ઉપલબ્ધ નથી. આ ઉપરાંત હેમચન્દ્રાચાર્યની અયોગવ્યવચ્છેદિકા અને અન્યયોગવ્યવચ્છેદિકા નામની બે બત્રીસીઓ પણ છે. તેમાંથી અન્યયોગવ્યવચ્છેદિકા ઉપર મલ્લિષેણે સ્યાદ્વાદમંજરી નામની ટીકા લખી છે. આ ટીકા શૈલી અને સામગ્રી બન્ને દિષ્ટએ મહત્ત્વપૂર્ણ છે. હેમચન્દ્રનો સ્વર્ગવાસ વિ.સં. ૧૨૨૮માં થયો. અન્ય દાર્શનિક બારમી શતાબ્દીમાં થયેલા શાન્ત્યાચાર્યે ન્યાયાવતાર પર સ્વોપજ્ઞ ટીકા સહિત વાર્તિક લખ્યું. તેમાં તેમણે,અકલંક દ્વારા સ્થાપિત પ્રમાણના ભેદોનું ખંડન કર્યું છે અને ન્યાયાવતારની પરંપરાને પુનઃ સ્થાપિત કરી છે. સ્યાદ્વાદરત્નાકરને સમજવામાં સરળતા થાય એ દૃષ્ટિએ વાદિદેવસૂરિના જ શિષ્ય રત્નપ્રભસૂરિએ જેમણે સ્યાદ્વાદરત્નાકરના નિર્માણમાં પણ સહાયતા કરી હતી— અવતારિકાની રચના કરી. આ ગ્રન્થ રત્નાકરાવતારિકા નામે પ્રસિદ્ધ છે. ગ્રન્થની ભાષાવિષયક આડંબરતાએ તો તેને સ્યાદ્વાદરત્નાકરથી પણ કઠિન બનાવી દીધો. તેમ છતાં પણ આ ગ્રન્થનો એટલો બધો પ્રભાવ પડ્યો કે સ્યાદ્વાદરત્નાકરનું પઠનપાઠન પ્રાયઃ બંધ થઈ ગયું અને બધા લોકો આ ગ્રન્થથી પોતાનું કામ ચલાવવા લાગ્યા. આનું પરિણામ એ આવ્યું કે આજ સ્યાદ્વાદરત્નાકર જેવા મહત્ત્વપૂર્ણ ગ્રન્થની એક પણ સંપૂર્ણ પ્રતિ ઉપલબ્ધ નથી. આચાર્ય હેમચન્દ્રના શિષ્યો રામચન્દ્ર અને ગુણચન્દ્ર બન્નેએ મળીને દ્રવ્યાલંકાર નામની દાર્શનિક કૃતિનું નિર્માણ કર્યું. ચન્દ્રસેને વિ.સં. ૧૨૦૭માં ઉત્પાદાદિસિદ્ધિની રચના કરી. આ ગ્રન્થમાં ઉત્પાદવ્યય-ધ્રૌવ્યાત્મક વસ્તુનું સમર્થન કરવામાં આવ્યું છે. હરિભદ્રના ષગ્દર્શનસમુચ્ચય ઉ૫૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy