SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ઉલ્લેખોને જોવાથી જણાય છે કે કષાયપ્રાભૂતકાર અને મહાકર્મપ્રકૃતિપ્રાભૂતકાર સંભવતઃ સમકાલીન રહ્યા હશે. ધવલા અને જ્યધવલાના અધ્યયનથી એવું કંઈ જણાતું નથી કે અમુક પ્રાભૃતની રચના અમુક પ્રાભૃતની પહેલાંની છે અથવા પછીની છે. અન્ય કોઈ પ્રાચીન ગ્રન્થમાં પણ આ વિશે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. કષાયપ્રાકૃતકારે પોતે જ બે ગાથાઓમાં ગ્રન્થના પ્રતિપાદ્ય વિષયો અર્થાત્ અર્થાધિકારોનો નિર્દેશ કર્યો છે. આ ગાથાઓની વ્યાખ્યા ચૂર્ણિસૂત્રકાર અને જયધવલાકારે ભિન્નભિન્ન રૂપમાં આપી છે. જો કે તે બન્ને એ વાતમાં તો એકમત છે કે કષાયપ્રાભૃતના પંદર અર્વાધિકાર છે તેમ છતાં તેમની ગણનામાં એકરૂપતા નથી. ચૂર્ણિસૂત્રકારે અર્થાધિકારના નીચે મુજબ ૧૫ ભેદ ગણાવ્યા છે– (૧) પેસ્જદોસ (પ્રયોષ), (૨) ઠિદિઅણુભાગવિહિત્તિ (સ્થિતિ-અનુભાગવિભક્તિ), (૩) બંધગ અથવા બંધ (બંધક યા બંધ), (૪) સંકમ (સંક્રમ), (૫) વેદઅ અથવા ઉદઅ (વેદક યા ઉદય), (૬) ઉદીરણા, (૭) ઉવજોગ (ઉપયોગ), (૮) ચઉઠાણ (ચતુઃસ્થાન), (૯) વંજણ (વ્યંજન), (૧૦) સમ્મત્ત અથવા દંસણમોહિણીયઉવસમણા (સમ્યકત્વ યા દર્શનમોહનીયની ઉપશમના), (૧૧) દંસણમોહણીયફખવણા (દર્શનમોહનીયની ક્ષપણા), (૧૨) દેસવિરદિ (દેશવિરતિ), (૧૩) સંજમઉવસામણા અથવા ચરિત્તમોહણીયવિસામણા (સંયમવિષયક ઉપશામના યા ચારિત્રમોહનીયની ઉપશામના), (૧૪) સંજમખવણા અથવા ચરિત્તમોહણીયફખવણા (સંયમવિષયક ક્ષપણા અથવા ચારિત્રમોહનીયની ક્ષપણા) અને (૧૫) અદ્ધાપરિમાણણિદ્દેશ (અદ્ધાપરિમાણનિર્દેશ). જયધવલાકારે જે પંદર અર્થાધિકારોનો ઉલ્લેખ કર્યો છે તે આ છે– (૧) પ્રયોષ, (૨) પ્રકૃતિવિભક્તિ, (૩) સ્થિતિવિભક્તિ, (૪) અનુભાગવિભક્તિ, (૫) પ્રદેશવિભક્તિ-ક્ષીણાક્ષીણપ્રદેશ-સ્થિત્યન્તિકપ્રદેશ, (૬) બન્ધક, (૭) વેદક, (૮) ઉપયોગ, (૯) ચતુઃસ્થાન, (૧૦) વ્યજન, (૧૧) સમ્યકત્વ, (૧૨) દેશવિરતિ, (૧૩) સંયમ, (૧૪) ચારિત્રમોહનીયની ઉપશમના અને (૧૫) ચારિત્રમોહનીયની ક્ષપણા. આ સ્થાને જયધવલાકારે એ પણ નિર્દેશ કર્યો છે કે આ રીતે બીજી રીતૌથી પણ પંદર અર્થાધિકારોનું પ્રરૂપણ કરી લેવું જોઈએ. આ ઉપરથી જણાય છે કે કષાયપ્રાભૃતના અર્થાધિકારોની ગણનામાં એકરૂપતા રહી નથી. આમ તો કષાયપ્રાભૃતમાં ૨૩૩ ગાથાઓ મનાય છે પરંતુ વસ્તુતઃ આ ગ્રન્થમાં ૧૮૦ ગાથાઓ છે. બાકીની ૫૩ ગાથાઓ કષાયપ્રાકૃતકાર ગુણધરાચાર્યકૃત નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy