SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ૩૭ છે. આતુરપ્રત્યાખ્યાન(આઉરપચ્ચક્ખાણ)ને મરણ સાથે સંબંધ હોવાના કારણે અન્તકાલપ્રકીર્ણક પણ કહે છે. તેને બૃહદાતુરપ્રત્યાખ્યાન પણ કહે છે. તેમાં ૭૦ ગાથાઓ છે. દસમી ગાથા પછી કેટલોક ભાગ ગદ્યમાં છે. આ પ્રકીર્ણકમાં મુખ્યપણે બાલમરણ અને પંડિતમરણનું વિવેચન છે. મહાપ્રત્યાખ્યાન (મહાપચ્ચકખાણ) પ્રકીર્ણકમાં ૧૪૨ ગાથાઓ છે. તેમાં પ્રત્યખ્યાન અર્થાત્ ત્યાગનું વિસ્તૃત વ્યાખ્યાન છે. ભક્તપરિજ્ઞા (ભત્તપરિણા)માં ૧૭૨ ગાથાઓ છે. આ પ્રકીર્ણકમાં “ભક્તપરિજ્ઞા' નામના મરણનું વિવેચન છે. તન્દુલવૈચારિક (તંદુલવેયાલિય) પ્રકીર્ણકમાં ૧૩૯ ગાથાઓ છે. વચ્ચે વચ્ચે કેટલાંક સૂત્રો પણ છે. તેમાં વિસ્તારથી ગર્ભનું વર્ણન કરવામાં આવ્યું છે. ગ્રન્થના અન્તિમ ભાગમાં નારીજાતિ અંગે એકપક્ષીય વિચારો પ્રગટ કરવામાં આવ્યા છે. સો વર્ષની આયુવાળો પુરુષ કેટલા તન્દુલ અર્થાત્ ઓખા ખાય છે, તેનો સંગાપૂર્વક વિશેષ વિચાર કરવાના કારણે ઉપલક્ષણથી આ સૂત્ર તલવૈચારિક કહેવાય છે. સંસ્કારક (સંથારગ) પ્રકીર્ણકમાં ૧૨૩ ગાથાઓ છે. તેમાં મૃત્યુ સમયે અપનાવવા યોગ્ય સંસ્મારક અર્થાત તૃણ આદિની શાનું મહત્ત્વ વર્ણવવામાં આવ્યું છે. સંસ્મારક પર આસીન થઈને પંડિતમરણ પ્રાપ્ત કરનારા મુનિ મુક્તિ પામે છે. આ પ્રકારના અનેક મુનિઓના દૃષ્ટાન્તો પ્રસ્તુત પ્રકીર્ણકમાં આપવામાં આવ્યાં છે. ગચ્છાચાર (ગચ્છાયાર) પ્રકીર્ણકમાં ૧૩૭ ગાથાઓ છે. તેમાં ગચ્છના અર્થાત સમૂહમાં રહેનાર સાધુ-સાધ્વીઓના આચારનું વર્ણન છે. આ પ્રકીર્ણક મહાનિશીથ, કલ્પ(બૃહત્કલ્પ) તથા વ્યવહારના આધારે રચાયું છે. ગણિવિદ્યા(ગણિવિજજા)માં ૮૨ ગાથાઓ છે. આ ગણિતવિદ્યા અર્થાત્ જ્યોતિર્વિદ્યાનો ગ્રન્થ છે. તેમાં આ નવ વિષયોનું (નવબલનું) વિવેચન છે – (૧) દિવસ, (૨) તિથિ, (૩) નક્ષત્ર, (૪) કરણ, (૫) ગ્રહદિવસ, (૬) મુહૂર્ત, (૭) શકુન, (૮) લગ્ન અને (૯) નિમિત્ત. દેવેન્દ્રસ્તવ (દેવિંદથય) પ્રકીર્ણકમાં ૩૦૭ ગાથાઓ છે. તેમાં બત્રીસ દેવેન્દ્રોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. મરણસમાધિ(મરણસમાહી)નું બીજું નામ મરણવિભક્તિ(મરણવિભત્તી) છે. તેમાં ૬૬૩ ગાથાઓ છે. આ પ્રકીર્ણક યથાનિર્દિષ્ટ આઠ પ્રાચીન શ્રતગ્રન્થોના આધારે રચાયું છે – (૧) મરણવિભક્તિ, (૨) મરણવિશોધિ, (૩) મરણસમાધિ, (૪) સંલેખનાશ્રુત, (૫) ભક્તપરિજ્ઞા, (૬) આતુરપ્રત્યાખ્યાન, (૭) મહાપ્રત્યાખ્યાન અને (૮) આરાધના. આગમિક વ્યાખ્યાઓ જૈન આગમોની પ્રાકૃત વ્યાખ્યાઓ ત્રણ રૂપોમાં મળે છે–નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિ. નિયુક્તિ અને ભાષ્ય પદ્યમાં છે તથા ચૂર્ણિ સંસ્કૃતમિશ્રિત ગદ્યમાં છે. ઉપલબ્ધ નિર્યુક્તિઓ ભદ્રબાહુ(દ્વિતીય)ની રચનાઓ છે. તેમનો સમય વિક્રમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy