SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ-દર્શન પારસ્પરિક વ્યવહાર, સાધુ-સાધ્વીઓની દીક્ષા, સાધુ-સાધ્વીઓના આચારની ભિન્નતા, પદવી પ્રદાન કરવાનો સમુચિત સમય, રાજ્યવ્યવસ્થામાં પરિવર્તન થવાની સ્થિતિમાં શ્રમણોનું કર્તવ્ય આદિ. આઠમા ઉદ્દેશમાં શય્યા-સંસ્તારક આદિ ઉપકરણ ગ્રહણ કરવાની વિધિ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. નવમા ઉદ્દેશમાં મકાનમાલિકના ત્યાં રહેલા અતિથિ આદિના આહાર સંબંધી કલ્પાકલ્પનો વિચાર કરવામાં આવ્યો છે. દસમા ઉદ્દેશમાં યવમધ્યપ્રતિમા, વજ્રમધ્યપ્રતિમા, પાંચ પ્રકારનો વ્યવહાર, બાલદીક્ષા, વિવિધ સૂત્રોના પઠન-પાઠનની યોગ્યતા આદિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ૩૪ - નિશીથમાં ચાર પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન છે ગુરુમાસિક, લઘુમાસિક, ગુરુચાતુર્માસિક અને લઘુચાતુર્માસિક. અહીં ગુરુમાસ અથવા માસગુરુનો અર્થ ઉપવાસ તથા લઘુમાસ અથવા માસલઘુનો અર્થ એકાશન સમજવો જોઈએ. આ સૂત્ર વીસ ઉદ્દેશોમાં વિભક્ત છે. પ્રથમ ઉદ્દેશમાં આ ક્રિયાઓ માટે ગુરુમાસનું વિધાન કરવામાં આવ્યું છે — મૈથુન સંબંધી મોટો દોષ લાગે તેવી ક્રિયાઓ, પુષ્પ આદિ સૂંઘવા, બીજા પાસે પડદા વગેરે બનાવરાવવા, સોય વગેરે સરખાં કરાવવાં, પોતાને માટે પોતે માગી લાવેલાં સોય વગેરે બીજાને આપવાં, પાત્ર વગે૨ે બીજા પાસે સાફ કરાવવા, સદોષ આહારનો ઉપભોગ કરવો, વગેરે. બીજા ઉદ્દેશમાં આ ક્રિયાઓ માટે લઘુમાસનું વિધાન છે—દારુદંડનું પાદપ્રોંછન બનાવવું, કીચડવાળા રસ્તામાં પથ્થર વગેરે મૂકવા, પાણી નીકળવાની નાળી વગેરે બનાવવાં, સોય વગેરેને પોતે જ સરખાં કરવાં, જરા પણ કઠોર વચન બોલવું, હમેશાં એક જ ઘરનો આહાર ખાવો, દાન આદિ લેતા પહેલાં કે પછી દાતાની પ્રશંસા કરવી, નિષ્કારણ પરિચિત ઘરોમાં પ્રવેશ કરવો, અન્યતીર્થિક અથવા ગૃહસ્થની સોબત કરવી, મકાનમાલિકના ઘરનાં આહા૨પાણી ગ્રહણ કરવાં, વગેરે. ત્રીજા, ચોથા અને પાંચમા ઉદ્દેશમાં પણ લઘુમાસથી સમ્બદ્ધ ક્રિયાઓનો ઉલ્લેખ છે. છઠ્ઠા ઉદ્દેશમાં મૈથુન સંબંધી કેટલીક વધારે મોટા દોષવાળી ક્રિયાઓ માટે ગુરુચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. સાતમા, આઠમા, નવમા, દસમા અને અગિયારમાં ઉદ્દેશોમાં પણ મૈથુનવિષયક અને અન્ય પ્રકારની દોષપૂર્ણ ક્રિયાઓ માટે ગુરુચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું વિધાન છે. બારમાથી ઓગણીસમાં ઉદ્દેશ સુધી લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત સાથે સંબંધ ધરાવતી ક્રિયાઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ ક્રિયાઓ આ પ્રકારની છે - પ્રત્યાખ્યાનનો વારંવાર ભંગ કરવો, ગૃહસ્થનાં વસ્ત્ર, ભોજન આદિનો ઉપયોગ કરવો, દર્શનીય વસ્તુઓને જોવા માટે ઉત્કંઠિત રહેવું, પહેલા પહોરમાં ગ્રહણ કરેલો આહાર ચોથા પહોર સુધી રાખવો, બે ગાઉથી આગળ જઈને આહાર લાવવો, પોતાનાં ઉપકરણ અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે ઉપડાવવા, હસ્તરેખા વગેરે જોઈ ફલાફલ કહેવું, મન્ત્ર-તન્ત્ર શિખવાડવાં, વિરેચન લેવું અથવા - Jain Education International --- For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy