SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ-દર્શન દશાશ્રુતસ્કન્ધને આચારદશાના નામે પણ ઓળખવામાં આવે છે. તેમાં દસ અધ્યયન છે. પ્રથમ અધ્યયનમાં દ્રુત ગમન, અપ્રમાર્જિત ગમન, દુષ્પ્રમાર્જિત ગમન, અતિરિક્ત શય્યાસન આદિ વીસ અસમાધિસ્થાનોનો ઉલ્લેખ છે. બીજા અધ્યયનમાં હસ્તકર્મ, મૈથુનપ્રતિસેવન, રાત્રિભોજન, આધાકર્મગ્રહણ, રાજપિંડગ્રહણ આદિ એકવીસ પ્રકા૨ના શબલદોષોનું વર્ણન છે. ત્રીજા અધ્યયનમાં તેત્રીસ પ્રકારની આશાતનાઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ચોથા અધ્યયનમાં આઠ પ્રકારની ગણિસમ્પદાઓ...આચારસમ્પદા, શ્રુતસમ્પદા, શરીરસમ્પદા, વચનસમ્પદા, વાચનાસમ્પદા આદિનું વર્ણન છે. પાંચમું અધ્યયન દસ પ્રકારનાં ચિત્તસમાધિસ્થાનો સંબંધી છે. છઠ્ઠા અધ્યયનમાં અગિયાર ઉપાસકપ્રતિમાઓ તથા સાતમા અધ્યયનમાં બાર ભિક્ષુપ્રતિમાઓનું વર્ણન છે. આઠમા અધ્યયનનું નામ પર્યુષણાકલ્પ છે. વર્ષાઋતુમાં શ્રમણનું એક સ્થાને રહેવું પર્યુષણા કહેવાય છે. પર્યુષણાવિષયક કલ્પ અર્થાત્ આચારનું નામ છે પર્યુષણાકલ્પ. પ્રસ્તુત અધ્યયનમાં પર્યુષણાકલ્પ માટે વિશેષ ઉપયોગી મહાવીરચરિત સંબંધી પાંચ હસ્તોત્તરોનો નિર્દેશ કરવામાં આવ્યો છે (૧) હસ્તોત્તર નક્ષત્રમાં મહાવીરનું દેવલોકમાંથી ચ્યુત થઈ ગર્ભમાં આવવું, (૨) હસ્તોત્તરમાં ગર્ભપરિવર્તન થવું, (૩) હસ્તોત્તરમાં જન્મ ગ્રહણ કરવો, (૪) હસ્તોત્તરમાં પ્રવ્રજ્યા લેવી અને (૫) હસ્તોત્તરમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવી. કલ્પસૂત્ર તરીકે પ્રચલિત ગ્રન્થ - આ અધ્યયનનું પલ્લવિત રૂપ છે. તેમાં શ્રમણ ભગવાન મહાવીરના જીવનચરિત ઉપરાંત મુખ્યપણે પાર્શ્વ, અરિષ્ટનેમિ અને ઋષભ આ ત્રણ તીર્થંકરોની જીવની પણ આપવામાં આવી છે. અંતે સ્થવિરાવલી અને સામાચારી (શ્રમણજીવન સંબંધી નિયમાવલી) પણ જોડી દેવામાં આવી છે. નવમા અધ્યયનમાં ત્રીસ મોહનીય સ્થાનોનું વર્ણન છે. દસમા અધ્યયનનું નામ આયતિસ્થાન છે. તેમાં વિભિન્ન નિદાનકર્મો અર્થાત્ મોહજન્ય ઇચ્છાપૂર્તિમૂલક સંકલ્પોનું વર્ણન કરવામાં આવ્યું છે જે નિદાનકર્મો જન્મમરણની પ્રાપ્તિનું કારણ છે. આમ દશાશ્રુતસ્કન્ધનાં દસ અધ્યયનોમાં એક અધ્યયન શ્રાવકાચાર સંબંધી છે જેમાં ઉપાસકપ્રતિમાઓનું વર્ણન છે. બાકીનાં નવ અધ્યયનો શ્રમણાચાર સંબંધી છે. ૩૨ બૃહત્કલ્પમાં છ ઉદ્દેશ છે. પ્રથમ ઉદ્દેશમાં તાલપ્રલમ્બ, માસકલ્પ, આપણગૃહ, ઘટીમાત્રક, ચિલિમિલિકા, દકતીર, ચિત્રકર્મ, સાગારિકનિશ્રા, અધિકરકણ, ચાર, વૈરાજ્ય, અવગ્રહ, રાત્રિભક્ત, અધ્વગમન, ઉચ્ચારભૂમિ, સ્વાધ્યાયભૂમિ, આર્યક્ષેત્ર આદિ વિષયક વિધિ-નિષેધ છે. ક્યાંક કયાંક અપવાદ અને પ્રાયશ્ચિત્તની પણ ચર્ચા છે. બીજા ઉદ્દેશમાં પ્રથમ બાર સૂત્રો ઉપાશ્રયવિષયક છે. આગળનાં તેર સૂત્રોમાં આહાર, વસ્ત્ર અને રજોહરણનો વિચાર કરવામાં આવ્યો છે. ત્રીજા ઉદ્દેશમાં ઉપાશ્રયપ્રવેશ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy