SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ૨૫ વીતરાગ અને કેવલી અર્થાત્ સર્વજ્ઞ હતા કે ન તો ગોશાલ પોતે જિન અને કેવલી હતા. બન્ને પોતપોતાના સંઘમાં પ્રભાવશાળી અને પૂજ્ય હતા. બન્ને એકબીજાને અપમાનિત કરવાના અને નીચા દેખાડવાના પ્રયત્નો કરતા હતા. ગોશાલે તો જે કંઈ કર્યું તે કર્યું જ, મહાવીરે પણ ગોશાલને ક્રોધિત કરવામાં કોઈ કસર ન રાખી. મહાવીર ખુલ્લંખુલ્લા જાહેરમાં કહેતા હતા કે ગોશાલ જિન નથી પણ જિનપ્રલાપી છે. ગોશાલ જ્યારે અનેક માણસો પાસેથી આ વાત સાંભળતા ત્યારે તે અત્યન્ત ક્રોધિત થતા – તેના ક્રોધનો પાર ન રહેતો. એક દિવસ મહાવીરના શિષ્ય આનન્દને ચેતવણી દેતાં ગોશાલે કહ્યું કે જો આજ મહાવીર મારા વિશે કંઈ પણ કહેશે તો હું મારા તપના તેજથી તેમને બાળી ભસ્મ કરી દઈશ. મહાવીર પણ માનતા હતા કે ગોશાલ પોતાના તપના તેજથી કોઈને પણ બાળી ભસ્મ કરી શકે છે પરંતુ અરિહંતભગવંતોને તેનું તપતેજ બાળી શકતું નથી. હા, તેમનામાં પરિતાપ યા દાહ ઉત્પન્ન કરી શકે છે. તેથી મહાવીરે પોતાના શિષ્યોને ગોશાલની સાથે ચર્ચા-વાર્તા કરવાની મનાઈ કરી હતી. ગોશાલ મહાવીરને બાળીને ભસ્મ કરી શકતો ન હતો એટલે તે મહાવીરને એલફેલ સંભળાવતો હતો. એક વાર ગોશાલને પોતાનું વ્યક્તિત્વ છૂપાવવાની ચેષ્ટા કરતો જોઈને વીતરાગ મહાવીરે તેને જરા ધમકાવીને કહ્યું કે જેમ કોઈ ચોર ગ્રામવાસીઓથી પરાજિત થઈને ભાગતો ભાગતો કોઈ ગુફા, દુર્ગ, ખાઈ અથવા અન્ય વિષમ સ્થાન ન મળવાથી કપાસ, ઘાસ આદિથી પોતાને ઢાંકવાની ચેષ્ટા કરે છે તથા ઢંકાયેલો ન હોવા છતાં પોતાને ઢંકાયેલો માને છે–છુપાયેલો ન હોવા છતાં પોતાને છુપાયેલો સમજે છે તેમ તું પણ પોતાને છુપાવવાની ચેષ્ટા કરી રહ્યો છે, પોતાને છુપાયેલો માને છે, અન્ય ન હોવા છતાં પણ પોતાને અન્ય બતાવી રહ્યો છે. આ સાંભળી ગોશાલ અત્યન્ત ક્રોધિત થયો અને મહાવીરને ખરાબ રીતે ગાળો દેવા લાગ્યો. તેણે કહ્યું કે તું આજે જ નષ્ટ, વિનષ્ટ અને ભ્રષ્ટ થઈ જઈશ. કદાચ તું આજે જીવતો પણ નહિ રહે. ગોશાલનો આ અભદ્ર વ્યવહાર જોઈને મહાવીરના બે શિષ્યોએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગોશાલે ક્રોધાભિભૂત થઈને પોતાના તપના તેજથી તે બન્નેને બાળીને ભસ્મ કરી નાખ્યા. મહાવીર જોતા જ રહી ગયા. આગળ શતકકાર કહે છે કે સર્વજ્ઞ વીતરાગ ભગવાન મહાવીર પણ પોતાના જ્ઞાન અને વ્યવહારથી ગોશાલને લેશમાત્ર પણ પ્રભાવિત કરી ન શક્યા. જેમ મહાવીરના શિષ્યોએ ગોશાલને સમજાવ્યો તેવી જ રીતે મહાવીરે પોતે પણ તેને સમજાવ્યો. ગોશાલ મહાવીર પર પણ તેવી જ રીતે ક્રોધે ભરાયો તથા તેમના ઉપર તેજોલેશ્યાનો પ્રહાર કરી કહેવા લાગ્યો કે તું મારી આ તપોજન્ય તેજલેશ્યાથી પરાભૂત થઈને પિત્તવરજન્ય દાહથી પીડા પામી છ માસ પછી છદ્મસ્થાવસ્થામાં જ મૃત્યુ પામીશ. મહાવીરે ગોશાલને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy