SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ જૈન ધર્મ-દર્શન શબ્દોનો પ્રયોગ આગમિક સાહિત્યમાં અન્યત્ર જ્યાં પણ કરવામાં આવ્યો છે ત્યાં સાધારણ પ્રચલિત અર્થમાં જ કરવામાં આવ્યો છે અર્થાત્ તેમનો ઝોક માંસાહારપરક અર્થ તરફ જ છે. ટીકાકારોએ બન્ને પ્રકારના અર્થોનો સંકેત કર્યો છે. વસ્તુતઃ પ્રસ્તુત શતક જ અનેક વિસંગતિઓ અને દોષોથી ભરેલું છે. આ શતક પૂરું અથવા તેનો મોટો ભાગ કૃત્રિમ જણાય છે. ગોશાલની તીર્થકર તરીકે પ્રસિદ્ધિ તથા તેનો નિયતિવાદ આ બન્ને બાબતો તો બૌદ્ધ સાહિત્ય દ્વારા પણ પ્રગટ થાય છે પરંતુ જે રીતે આ શતકમાં ગોશાલનું ચરિત્રચિત્રણ થયું છે તે કંઈક વિચિત્ર લાગે છે. આગમ અને તેમાં પણ અંગપ્રવિષ્ટ અંતર્ગત આ પ્રકારનું વર્ણન અને તે પણ ક્યાંક ક્યાંક તો સાધારણ સાધુને પણ ન શોભે તેવી ભાષામાં કરવામાં આવ્યું હોય એવું જણાય છે – ભલેને તે તથ્ય ઉપર આધારિત કેમ ન હોય. ગોશાલ સંબંધી પ્રસ્તુત શતકનો પ્રારંભ શ્રાવસ્તીમાં રહેતી આજીવિકા મતની અર્થાત ગોશાલના મત નિયતિવાદની ઉપાસિકા હાલાહલા નામની કુંભારણથી થાય છે. સૂત્રકાર કહે છે કે તે સમૃદ્ધિશાળી અને પ્રભાવવાળી હતી અને કોઈ તેને પરાભૂત કરી શકતું નહિ. આ ઉલ્લેખથી એવું પ્રગટ થાય છે કે ભગવાન મહાવીર પણ તેને નિયતિવાદની અયથાર્થતા અને પુરુષાર્થવાદ વા કર્મવાદની યથાર્થતા સમજાવવામાં સફળ થઈ શક્યા ન હતા અથવા તો સમજાવવાનો પ્રયત્ન જ ન કરી શક્યા. ઉપાસકદશા સૂત્ર (સાતમું અધ્યયન)માં સદાલપુત્ર નામના એક કુંભાર શ્રાવકનું વર્ણન છે જે ગોશાલનો અનુયાયી હતો અર્થાત નિયતિવાદી હતો. પછીથી ભગવાન મહાવીરે તેને યુક્તિપૂર્વક પોતાનો અર્થાત્ પુરુષાર્થવાદનો અનુયાયી બનાવ્યો હતો. આજીવિક મતાનુયાયીઓ અંગેના આ બે ઉલ્લેખો ઉપરથી એવું જણાય છે કે ગોશાલના મોટા ભાગના અનુયાયીઓ કુંભાર હતા. જો ભગવાન મહાવીરે સદાલપુત્રને યુક્તિપૂર્વક પોતાનો અનુયાયી બનાવી દીધો તો શું તે હાલાહલાને પોતાની યુક્તિઓથી પ્રભાવિત કરી શકતા ન હતા ? હાલાહલા તેમની આગળ અપરાભૂત કેવી રીતે રહી શકી હતી? પરાભૂત થઈ જવા છતાં પોતાનો કદાગ્રહ ન છોડવો એ જુદી વાત છે પરંતુ મહાવીર જેવી મહાન વ્યક્તિથી પરાભૂત ન થવું એ બીજી વાત છે. આજીવિકસંઘના અધિપતિ મંખલિપુત્ર ગોશાલનો ઇતિવૃત્ત સંભળાવતાં ભગવાન મહાવીર પોતાના પ્રધાન શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમને કહે છે કે કોલ્લાક સન્નિવેશમાં બહુલ બ્રાહ્મણને ત્યાં દિવ્યવૃષ્ટિ થઈ હોવાના સમાચાર લોકોના મોઢે સાંભળી ગોશાલના મનમાં વિચાર આવ્યો કે મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીરને જેવી ઋદ્ધિ, ધૃતિ, પરા, બલ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ પ્રાપ્ત છે તેવી ઋદ્ધિ આદિ બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણને પ્રાપ્ત નથી, તેથી તે મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક જ હોવા જોઈએ. એ પ્રમાણે વિચારીને તે શોધતો શોધતો કોલ્લાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy