SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ જૈન ધર્મ-દર્શન ચોથા અધ્યયનમાં બે ઉદ્દેશો છે, તેમનામાં ભિક્ષુ-ભિક્ષુણીની વાણીનો વિચાર કરવામાં આવ્યો છે. પ્રથમ ઉદ્દેશમાં સોળ પ્રકારની વચનવિભક્તિની વ્યાખ્યા છે અને બીજામાં કષાયજનક વચનપ્રયોગની વ્યાખ્યા છે. પાંચમા અધ્યયન ‘વઐષણા'ના પણ બે ઉદેશો છે. પ્રથમ ઉદેશમાં વસ્ત્રગ્રહણ સંબંધી અને બીજામાં વસ્ત્રધારણ સંબંધી ચર્ચા છે. છઠ્ઠા અધ્યયન “પાત્રષણા'ના પણ બે ઉદ્દેશો છે. તેમનામાં અલાબુ, કાષ્ઠ અને માટીનાં પાત્રોનાં ગવેષણ અને ધારણની ચર્ચા છે. “અવગ્રહપ્રતિમા' નામનું સાતમું અધ્યયન પણ બે ઉદેશોમાં વિભક્ત છે. તેમનામાં અનુમતિ વિના કોઈપણ વસ્તુને ગ્રહણ કરવાનો નિષેધ કરાયો છે. બીજી ચૂલાના પ્રથમ અધ્યયન “સ્થાનમાં શરીરની હલનચલનરૂપ ક્રિયાનું નિયમન કરનારી ચાર પ્રકારની પ્રતિમાઓ અર્થાત પ્રતિજ્ઞાઓનું વર્ણન છે, આ પ્રતિમાઓમાં સંયમીની સ્થિતિ અપેક્ષિત છે. બીજા અધ્યયન નિષીપિકા'માં સ્વાધ્યાયભૂમિ સંબંધી ચર્ચા છે. “ઉચ્ચાર-પ્રસ્રવણ' નામના ત્રીજા અધ્યયનમાં મળમૂત્રના ત્યાગની અહિંસક વિધિ જણાવવામાં આવી છે. “શબ્દ” નામના ચોથા અધ્યયનમાં વિવિધ વાદ્યો, ગીતો, નૃત્યો, ઉત્સવો વગેરેના શબ્દોને સાંભળવાની લાલસાથી જ્યાં ત્યાં જવાનો નિષેધ કરવામાં આવ્યો છે. “રૂપ' નામના પાંચમા અધ્યયનમાં વિવિધ પ્રકારનાં રૂપોને જોવાની લાલસાનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. છઠ્ઠા અધ્યયન “પરિક્રિયામાં બીજા પાસે શારીરિક સંસ્કાર, ચિકિત્સા આદિ કરાવવાનો નિષેધ કરવામાં આવ્યો છે. સાતમા અધ્યયન “અન્યોન્યક્રિયામાં પરસ્પર ચિકિત્સા આદિ કરવાકરાવવાનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. ભાવના” નામની ત્રીજી ચૂલામાં પાંચ મહાવ્રતોની ભાવનાઓની સાથે જ તેમના ઉપદેશક ભગવાન મહાવીરનું જીવનદર્શન પણ આપવામાં આવ્યું છે. “વિમુક્તિ નામની ચોથી ચૂલામાં મોક્ષની ચર્ચા છે. મુનિને આંશિક મોક્ષ હોય છે અને સિદ્ધને પૂર્ણ મોક્ષ હોય છે. સમુદ્ર જેમ આ સંસાર દુસ્તર છે. જે મુનિઓ તેને પાર કરી જાય છે તેઓ અન્નકૃત–વિમુક્ત કહેવાય છે. સૂત્રકતાંગમાં બે શ્રુતસ્કન્ધ છે. પ્રથમ શ્રુતસ્કન્દમાં સોળ અને બીજામાં સાત અધ્યયનો છે. આ સૂત્રમાં મુખ્યપણે તત્કાલીન દાર્શનિક મન્તવ્યોનું નિરાકરણ યા ખંડન કરવામાં આવ્યું છે. ભૂતાદ્વૈતવાદનું ખંડન કરીને આત્માના સ્વતંત્ર અસ્તિત્વની સિદ્ધિ કરવામાં આવી છે. આત્માદ્વૈતવાદના સ્થાને નાનાત્મવાદની સ્થાપના કરવામાં આવી છે. ઈશ્વરવાદનું ખંડન કરીને જગતને અનાદિ-અનન્ત સિદ્ધ કરવામાં આવ્યું છે. ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ, અજ્ઞાનવાદ વગેરેનો નિરાસ કરીને તર્કસંગત ક્રિયાવાદની સ્થાપના કરવામાં આવી છે. સમવાયાંગ તથા નન્દીસૂત્રમાં સૂત્રકૃતાંગનો પરિચય આપતાં જણાવવામાં આવ્યું છે કે તેમાં સ્વમત, પરમત, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આમ્રવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy