SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૭ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય પહેલાં નવ અધ્યયનો હતાં પરંતુ મહાપરિજ્ઞા નામના એક અધ્યયનનો લોપ થઈ જવાના કારણે હવે તેમાં આઠ જ અધ્યયનો બાકી રહી ગયાં છે. આ અધ્યયનોનાં નામ આ પ્રમાણે છે : (૧) શસ્ત્રપરિજ્ઞા, (૨) લોકવિજય, (૩) શીતોષ્ણીય, (૪) સમ્યક્ત્વ, (૫) લોકસાર અથવા આનંતિ, (૬) ધૂત, (૭) વિમોક્ષ અને (૮) ઉપધાનશ્રુત. આ અધ્યયનો વિભિન્ન ઉદ્દેશોમાં વિભક્ત છે. પ્રથમ અધ્યયનના સાત ઉદેશો છે. દ્વિતીય વગેરે અધ્યયનોના ક્રમશઃ છે, ચાર, ચાર, છ, પાંચ, આઠ અને ચાર ઉદ્દેશો છે. આમ પ્રથમ શ્રુતસ્કન્ધમાં બધા મળી કુલ ૪૪ ઉદ્દેશો છે. પ્રથમ શ્રુતસ્કન્ધના અધ્યયનોનું સંયુક્ત નામ “બ્રહ્મચર્ય' છે. તેથી આચાર્ય શીલાંકે પોતાની ટીકામાં આ શ્રુતસ્કન્ધને બ્રહ્મચર્યશ્રુતસ્કન્ધ' કહેલ છે. અહીં બ્રહ્મચર્યનો અર્થ સંયમ છે જે અહિંસા અને સમભાવની સાધનાનું નામાન્તર છે. દ્વિતીય શ્રુતસ્કન્ધને નિર્યુક્તિકારે “આચારાગ્ર” નામ આપ્યું છે. આ વસ્તુતઃ પ્રથમ શ્રુતસ્કન્ધનું પરિશિષ્ટ છે. તેથી તેને આચારચૂલા અથવા આચારચૂલિકા પણ કહેવામાં આવે છે. વિષયનું વિશેષ સ્પષ્ટીકરણ કરવાની દૃષ્ટિએ આ જાતની ચૂલિકાઓ ગ્રન્થોમાં જોડવામાં આવે છે. આચારાગ્ર અથવા આચારચૂલિકારૂપ દ્વિતીય શ્રુતસ્કન્ધ પાંચ ચૂલાઓમાં વિભક્ત છે. પ્રથમ ચૂલામાં પિòષણા આદિ સાત તથા દ્વિતીય ચૂલામાં સ્થાન આદિ સાત અધ્યયન છે. તૃતીય, ચતુર્થ અને પાંચમી ચૂલાઓ એક એક અધ્યયનના રૂપમાં જ છે. પ્રથમ ચૂલાના પ્રથમ અધ્યયનના અગિયાર, દ્વિતીય અને તૃતીય અધ્યયનોના ત્રણ ત્રણ અને અન્તિમ ચાર અધ્યયનોના બે બે ઉદ્દેશો છે. દ્વિતીય આદિ ચૂલાઓનાં અધ્યયનો એક એક ઉદ્દેશરૂપ જ છે. ઉપલબ્ધ સમગ્ર જૈન સાહિત્યમાં આચારાંગનો પ્રથમ શ્રુતસ્કન્ધ પ્રાચીનતમ છે, એ તેની ભાષા, શૈલી અને ભાવોથી સિદ્ધ છે. તેના પ્રથમ અધ્યયન “શસ્ત્રપરિજ્ઞા'ના સાત ઉદેશોમાં હિંસાનાં સાધનો અર્થાત શસ્ત્રોનું પરિજ્ઞાન કરાવતાં તેમના પરિત્યાગનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જીવવિષયક સંયમ આ અધ્યયનનો પ્રતિપાદ્ય વિષય છે. પ્રથમ ઉદેશમાં જીવનું સામાન્ય નિરૂપણ કરીને દ્વિતીય આદિ ઉદેશોમાં છ જીવનિકાયોનું ક્રમશઃ વર્ણન કરવામાં આવ્યું છે. પ્રત્યેક ઉદેશમાં એ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે જીવવધથી કર્મોનો બન્ધ થાય છે, તેથી વિરતિ જ કર્તવ્ય છે. “લોકવિજય' નામનું બીજું અધ્યયન છ ઉદ્દેશોમાં વિભક્ત છે. એનો પ્રતિપાઘ વિષય લોકનું બન્ધન અને તેનો ઘાત છે. તેના છ ઉદ્દેશોનો અર્થાધિકાર અર્થાત પ્રતિપાદ્ય વિષય ક્રમશઃ આ રીતે છેઃ (૧) સ્વજનોમાં આસક્તિનો પરિત્યાગ, (૨) સંયમમાં શિથિલતાનો પરિત્યાગ, (૩) માન અને અર્થમાં સારદષ્ટિનો પરિત્યાગ, (૪) ભોગમાં આસક્તિનો પરિત્યાગ, (૫) લોકના આશ્રયથી સંયમનિર્વાહ અને (૬) લોકમાં મમત્વનો પરિત્યાગ. લોકવિજય' શબ્દનો અર્થ છે કષાયરૂપ ભાવલોકનું ઔપથમિક આદિ ભાવો દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy