SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જૈન ધર્મ-દર્શન કરી શકે છે. (૪) દિગમ્બર મત અનુસાર મહાવીરે લગ્ન કર્યું ન હતું. પરંતુ શ્વેતામ્બરો માને છે કે મહાવીરે લગ્ન કર્યું હતું અને તેમને એક પુત્રી પણ હતી. (પ) દિગમ્બર મતાનુયાયીઓ તીર્થકરોની મૂર્તિઓને કોઈ પણ રીતે શણગારતા નથી પરંતુ શ્વેતામ્બર મતાનુયાયીઓ તીર્થકરોની મૂર્તિઓને સારી રીતે શણગારે છે. આ બે પ્રમુખ સંપ્રદાયો પણ અન્ય નાના નાના ઉપસંપ્રદાયોમાં વહેંચાઈ ગયા છે. શ્વેતામ્બર સંપ્રદાયના મુખ્ય ત્રણ ભેદ છે– મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી. દિગમ્બર સમ્પ્રદાયના પણ મુખ્ય ત્રણ ભેદ છે-વીસપંથી, તેરપંથી અને તારણપંથી. મૂર્તિપૂર્જક તીર્થકરોની મૂર્તિઓની પૂજા કરે છે. સ્થાનકવાસી (૧૬મી શતાબ્દી) મૂર્તિપૂજામાં વિશ્વાસ નથી કરતા. તેરાપંથી (૧૮મી શતાબ્દી) પણ મૂર્તિપૂજાનું સમર્થન નથી કરતા. અહિંસાની બાબતમાં તેમનો અન્ય જૈન સંમ્પ્રદાયો સાથે કંઈક મતભેદ છે. વીસપંથી મૂર્તિપૂજામાં ફળ-ફૂલ આદિનો પ્રયોગ કરે છે પરંતુ તેરપંથી કેવળ નિર્જીવ વસ્તુઓનો જ ઉપયોગ કરે છે. તારણપંથી (૧૬મી શતાબ્દી) પૂજામાં મૂર્તિઓના બદલે ધાર્મિક ગ્રન્થોને રાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy