SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર ૩૪૧ ૧ સમ્માનસૂચક શબ્દોનો પ્રયોગ જ તે કરે. ટૂંકમાં કહીએ તો સર્વવિરત ભિક્ષુએ ક્રોધ વગેરે કષાયોનો પરિત્યાગ કરી, સમભાવ ધારણ કરી, વિચાર અને વિવેકપૂર્વક સંયમિત સત્ય ભાષાનો પ્રયોગ કરવો જોઈએ. સત્યવ્રતની પાંચ ભાવનાઓ છે (૧) વાણીવિવેક, (૨) ક્રોધત્યાગ, (૩) લોભત્યાગ, (૪) ભયત્યાગ, અને (૫) હાસ્યત્યાગ.૨ વાણીવિવેક એટલે સમજી વિચારીને ભાષાનો પ્રયોગ કરવો. ક્રોધત્યાગ એટલે ગુસ્સે ન થવું. લોભત્યાગ એટલે લાલચમાં ન ફસાવું. ભયત્યાગ એટલે નિર્ભીક રહેવું. હાસ્યત્યાગ એટલે ઠેકડી ન કરવી, મજાક ન કરવી. આ અને આના જેવી અન્ય પ્રશસ્ત ભાવનાઓ વડે સત્યવ્રતની રક્ષા થાય છે. અદત્તાદાનમાંથી સર્વથા નિવૃત્તિ લેનારો શ્રમણ કોઈ પણ ન આપવામાં આવેલી વસ્તુ લેતો નથી. અનુમતિ વિના એક તણખલું પણ લેવું સ્તેય અર્થાત્ ચોરી ગણાય. કોઈની પડી ગયેલી, ભુલાઈ ગયેલી, મૂકેલી અથવા અજ્ઞાત માલિકવાળી વસ્તુને અડકવું પણ તેના માટે નિષિદ્ધ છે. વસ્તુની જરૂરત હોય ત્યારે તેના માલિકની અનુમતિથી અર્થાત્ ઉપયુક્ત વ્યક્તિ દ્વારા આપવામાં આવે તો જ તે વસ્તુને ગ્રહણ કરે છે અથવા તેનો ઉપયોગ કરે છે. જેમ તે ન આપવામાં આવેલી વસ્તુ લેતો નથી તેમ તે બીજા પાસે ન આપવામાં આવેલી વસ્તુ લેવરાવતો નથી અને બીજો ન આપવામાં આવેલી વસ્તુ લે તો તેનું અનુમોદન પણ કરતો નથી. ― અસ્તેયવ્રતની દૃઢતા અને સુરક્ષા માટે પાંચ ભાવનાઓ દર્શાવી છે, તે નીચે મુજબ છે— (૧) સમજી વિચારીને વસ્તુની યાચના કરવી, (૨) આચાર્ય આદિની અનુમતિ લઈને ભોજન કરવું, (૩) પરિમિત પદાર્થો સ્વીકારવા, (૪) પુનઃ પુનઃ પદાર્થોની મર્યાદા બાંધવી, અને (૫) સાધર્મિક (સાથી શ્રમણ) પાસેથી પરિમિત વસ્તુઓની યાચના કરવી.૪ શ્રમણ માટે મૈથુનનો પૂર્ણ ત્યાગ અનિવાર્ય છે. તેના મૈથુનત્યાગને સર્વમૈથુનવિરમણ કહેવામાં આવે છે. તેના માટે મન, વચન અને કાયાથી મૈથુનનું સેવન કરવું, કરાવવું તથા અનુમોદવું નિષિદ્ધ છે. તેને નવકોટિબ્રહ્મચર્ય અથવા નવકોટિશીલ કહે છે. મૈથુનને ૧. દશવૈકાલિક, ૭.૧-૧૨. ૨. આચારાંગ, ૨.૩. ૩. દશવૈકાલિક, ૬.૧૩. ૪. આચારાંગ, ૨.૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy