SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ જૈન ધર્મ-દર્શન સમાવેશ ઉભય ચરમાન્તર્વર્તી બીજી કોટિમાં થાય છે. આત્મવિકાસ અથવા ચારિત્રવિકાસની બધી અવસ્થાઓને જૈન કર્મશાસ્ત્રમાં ચૌદ ભાગોમાં વિભાજિત કરી છે જે “ચૌદ ગુણસ્થાન'ના નામે પ્રસિદ્ધ છે. આ જૈનાચારના ચૌદ સોપાનો છે અર્થાતુ જૈન ચારિત્રરૂપી સીડીના ચૌદ પગથિયાં છે. સાધકે આ પગથિયાં ચડવા-ઊતરવા પડે છે. આત્મિક ગુણોના વિકાસની ક્રમિક અવસ્થાઓને ગુણસ્થાનો કહે છે. જૈન દર્શન માને છે કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ જ્ઞાનમય અને પરિપૂર્ણ સુખમય છે. તેને જૈન પદાવલીમાં અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તસુખ અને અનન્તવીર્ય કહેવામાં આવે છે. આ સ્વરૂપને વિકૃત અથવા આવૃત કરવાનું કામ કર્મોનું છે. કર્માવરણની ઘટા જેમ જેમ ગાઢ બનતી જાય છે તેમ તેમ આત્મિક શક્તિનો પ્રકાશ મન્દ થતો જાય છે. તેનાથી ઊલટું જેમ જેમ કર્મોનું આવરણ દૂર થતું જાય છે અથવા શિથિલ થતું જાય છે તેમ તેમ આત્માની શક્તિ વધુ ને વધુ પ્રગટ થતી જાય છે. આત્મિક શક્તિના અલ્પતમ આવિર્ભાવવાળી અવસ્થા પ્રથમ ગુણસ્થાન છે. આ ગુણસ્થાનમાં આત્મિક શક્તિનો પ્રકાશ અત્યન્ત મન્દ હોય છે. આગળનાં ગુણસ્થાનોમાં આ પ્રકાશ ક્રમશઃ વધતો જાય છે. અત્તિમ અર્થાત્ ચૌદમા ગુણસ્થાનમાં આત્મા પોતાના અસલ રૂપમાં પહોંચી જાય છે. આત્મશક્તિનાં ચાર પ્રકારનાં આવરણોમાં – અર્થાત્ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય આ ચાર કર્માવરણોમાં મોહનીય કર્મનું આવરણ પ્રધાન છે. મોહની તીવ્રતા-મન્દતા ઉપર અન્ય આવરણોની તીવ્રતા-મન્દતા આધાર રાખે છે. આ કારણે જ ગુણસ્થાનોની વ્યવસ્થામાં શાસ્ત્રકારોએ મોહશક્તિની તીવ્રતા-મન્દતાનું વિશેષ અવલંબન લીધું છે. મોહ મુખ્યપણે બે રૂપોમાં ઉપલબ્ધ થાય છે – દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય, દર્શનમોહનીય આત્માને યથાર્થતા-સમ્યકત્વ-વિવેકશીલતાથી દૂર રાખે છે. ચારિત્રમોહનીય આત્માને વિવેકયુક્ત આચરણ (પ્રવૃત્તિ) કરવા દેતું નથી. દર્શનમોહનીયના કારણે વ્યક્તિની ભાવના, વિચાર, દષ્ટિ, ચિન્તન અથવા શ્રદ્ધા સમ્યક બની શકતી નથી, સાચી (સમીચીન) બની શકતી નથી. સમ્યક દૃષ્ટિ હોવા છતાં પણ ચારિત્રમોહનીયના કારણે વ્યક્તિનો ક્રિયાકલાપ સમ્યફ અર્થાત્ નિર્દોષ બની શકતો નથી. આમ મોહનું આવરણ એવું છે જે વ્યક્તિને ન તો સમ્યક વિચાર પામવા દે છે કે ન તો તેને સમ્યફ આચાર ભણી પ્રવૃત્ત થવા દે છે. (૧) મિથ્યાદૃષ્ટિ – પ્રથમ ગુણસ્થાનનું નામ દર્શનમોહનીયના આધારે જ મિથ્યાદષ્ટિ રાખવામાં આવ્યું છે. આત્માની આ અધતમ અવસ્થા છે. તેમાં મોહની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy