SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદ્ધાન્ત , ૩૨૭ વીસ પ્રકૃતિઓનું જ અસ્તિત્વમાનવામાં આવ્યું છે. સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય કર્મોનું બન્ધન અલગથી ન હોતાં મિથ્યાત્વમોહનીય કર્મના રૂપમાં જ થાય છે કેમ કે (કર્મજન્ય) સમ્યક્ત્વ અને સમ્યફ-મિથ્યાત્વમિથ્યાત્વની જ વિશોધિત અવસ્થાઓ છે. આ બે પ્રકૃતિઓને ઉપર્યુક્ત એક સો બાવીસ પ્રવૃતિઓમાંથી બાદ કરવાથી એક સો વીસ પ્રકૃતિઓ બાકી રહે છે જે બન્ધનાવસ્થામાં વિદ્યમાન રહે છે. (૫) ઉદ્વર્તના – બદ્ધ કર્મોની સ્થિતિ અને અનુભાગ(રસ)નો નિશ્ચય બન્ધન સમયે વિદ્યમાન કષાયની તીવ્રતા-મદતા અનુસાર થાય છે. ત્યાર પછીના સ્થિતિવિશેષ અથવા ભાવવિશેષ – અધ્યવસાયવિશેષના કારણે તે સ્થિતિ તથા અનુભાગમાં વૃદ્ધિ થવી એ ઉદ્વર્તના કહેવાય છે. આ અવસ્થાને ઉત્કર્ષણ પણ કહે છે. (૬) અપવર્તના – બદ્ધ કર્મોની સ્થિતિ અને અનુભાગમાં અધ્યવસાયવિશેષ દ્વારા ઓછપ લાવવી એનું નામ અપવર્તના છે. આ અવસ્થા ઉદ્વર્તનાથી બિલકુલ ઊલટી છે. તેનું બીજું નામ અપકર્ષણ પણ છે. આ અવસ્થાઓની માન્યતાથી એ જ સિદ્ધ થાય છે કે કોઈ પણ કર્મની સ્થિતિ અને ફળની તીવ્રતામંદતામાં કોઈ જાતનું પરિવર્તન થઈ શકતું જ નથી એવી વાત નથી. પોતાના પ્રયત્નવિશેષ અથવા અધ્યવસાયવિશેષની શુદ્ધતા-અશુદ્ધતાથી તેમનામાં વખતોવખત પરિવર્તન થતું રહે છે. એક વખત આપણે કોઈ અશુભ કાર્ય કર્યું અર્થાતુ પાપકર્મ કર્યું અને પછી બીજે વખતે શુભ કાર્ય કર્યું તો પૂર્વબદ્ધ કર્મની સ્થિતિ વગેરેમાં યથાસંભવ પરિવર્તન થઈ શકે છે. આ જ રીતે શુભ કાર્ય દ્વારા બંધાયેલ કર્મની સ્થિતિ આદિમાં પણ અશુભ કાર્ય કરવાથી સમયાનુસાર પરિવર્તન થઈ શકે છે. તાત્પર્ય એ છે કે વ્યક્તિના અધ્યવસાયો અનુસાર કર્મની અવસ્થાઓમાં પરિવર્તન થતું રહે છે. આ તથ્યને ધ્યાનમાં રાખીને જૈન કર્મવાદને ઇચ્છા સ્વાતન્યનો વિરોધી નથી માનવામાં આવ્યો. (૭) સંક્રમણ – એક પ્રકારનાં કર્મયુગલોની સ્થિતિ આદિનું બીજા પ્રકારનાં કર્મપુદ્ગલોની સ્થિતિ આદિમાં પરિવર્તન અથવા પરિણમન થવું એ સંક્રમણ કહેવાય છે. સંક્રમણ કોઈ એક મૂલપ્રકૃતિની ઉત્તરપ્રવૃતિઓમાં જ થાય છે, વિભિન્ન મૂલપ્રકૃતિઓમાં થતું નથી. બીજા શબ્દોમાં, સજાતીય પ્રવૃતિઓમાં જ સંક્રમણ મનાયું છે, વિજાતીય પ્રકૃતિઓમાં નથી મનાયું. આ નિયમના અપવાદ રૂપે આચાર્યોએ કહ્યું છે કે આયુકર્મની પ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમણ થતું નથી અને ન તો દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયમાં કે ન તો દર્શનમોહનીયની ત્રણ ઉત્તરપ્રવૃતિઓમાં (કેટલાક અપવાદો છોડીને) પરસ્પર સંક્રમણ થતું નથી. આમ આયુકર્મની ચાર ઉત્તરપ્રકૃતિઓ, | દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય, તથા દર્શનમોહનીયની ત્રણ ઉત્તરપ્રકૃતિઓ ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy