SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ જૈન ધર્મ-દર્શન દષ્ટિએ આ કથનનું તાત્પર્ય એ છે કે તે વ્યક્તિનું શરીર શુભકર્મોદયયુક્ત છે અર્થાત્ તે વ્યક્તિના શરીર સાથે સંબંધ ધરાવતી ઇન્દ્રિયો, વાણી, મન વગેરે અને તેમની પ્રવૃત્તિઓ એટલે કે મન-વચન-કાયાની ક્રિયાઓ શુભ અર્થાત સુખદ છે. બીજા શબ્દોમાં, તે વ્યક્તિ બધી રીતે અથવા સામાન્યપણે અથવા અધિકાંશે સુખી છે. આ જ રીતે જે વ્યક્તિ પાપી હોય છે તે બધી રીતે અથવા અધિકાંશે દુઃખી હોય છે. આમ પુણ્ય અને પાપનું ફળ ક્રમશઃ સુખ અને દુઃખ છે. સુખ અને દુઃખ વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર અર્થાત્ વ્યક્તિના શારીરિક અને માનસિક ગઠન ઉપર આધાર રાખે છે જેનું નિર્માણ પુણ્ય અને પાપ અર્થાત્ શુભ અને અશુભ કર્મોના આધારે થાય છે. જો પાપ-પુણ્યથી જ દુઃખ-સુખ થતું હોય તો બાહ્ય પદાર્થોની શું આવશ્યકતા છે? જો પાપ-પુણ્ય દુ:ખ-સુખની ઉત્પત્તિનું જ કારણ છે તો બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ કયાં કારણોથી થાય છે? બીજા શબ્દોમાં, સુખ-દુઃખની ઉત્પત્તિમાં બાહ્ય પદાર્થોનો શો ફાળો છે તથા તેમની પ્રાપ્તિનાં કયાં કારણો છે? આ બે પ્રશ્નો આ સંદર્ભમાં સ્વાભાવિકપણે પેદા થાય છે. બાહ્ય વસ્તુઓ અને પરિસ્થિતિઓ સુખ-દુઃખની ઉત્પત્તિમાં અવશ્ય સહાયક બને છે, એમાં કોઈ સંદેહ નથી, પરંતુ તેમને સુખ-દુઃખનું મૂળ કારણ માનવું તર્કસંગત નથી. જે વ્યક્તિમાં સુખદુ:ખની ઉત્પત્તિની શક્તિ યા યોગ્યતા વિદ્યમાન હોય છે અર્થાત જે વ્યક્તિમાં પુણ્ય અને પાપનું અસ્તિત્વ હોય છે તે વ્યક્તિમાં જ બાહ્ય પદાર્થ સુખ અને દુઃખ ઉત્પન્ન કરી શકે છે. જે વ્યક્તિ અમુક પ્રકારનાં સુખ કે દુઃખથી પર છે અર્થાત્ જે વ્યક્તિમાં અમુક પ્રકારનાં સુખ-દુ:ખ ઉત્પન્ન નથી થઈ શકતાં તે વ્યક્તિને તે સીમા સુધી બાહ્ય પદાર્થો પ્રભાવિત કરતા નથી. તાત્પર્ય એ કે બાહ્ય પદાર્થ કોઈ વ્યક્તિને તે જ સીમા સુધી પ્રભાવિત કરે છે જે સીમા સુધી તે વ્યક્તિનું વ્યક્તિત્વ તેમનાથી પ્રભાવિત થઈ શકતું હોય. કોઈ પણ પદાર્થ અથવા વાતાવરણ બધાંને એકસરખાં પ્રભાવિત કરી શકતાં નથી. તેનું કારણ એ છે કે પ્રત્યેક વ્યક્તિનું વ્યક્તિત્વ ભિન્ન ભિન્ન પ્રકારનું છે અર્થાત્ દરેકનાં પુણ્ય-પાપની સંચિતિ એટલે કે સુખદુખનો અનુભવ કરવાની યોગ્યતા એકસરખી નથી. બાહ્ય વસ્તુઓ અને પરિસ્થિતિઓ વ્યક્તિમાં રહેલી યોગ્યતા અનુસાર જ સુખ-દુ:ખ ઉત્પન્ન કરવામાં સહાયક કારણ તરીકે કાર્ય કરે છે. સુખ-દુઃખનું મૂલ કારણ તો વ્યક્તિમાં જ મોજૂદ હોય છે જે પુણ્ય-પાપના સંગ્રહના રૂપે હોય છે. આમ સુખ-દુઃખનું ઉપાદાનકારણ અર્થાત મૂળ કારણ વ્યક્તિ પોતે જ છે, જ્યારે બાહ્ય પદાર્થો નિમિત્તકારણો યા સહાયક કારણો માત્ર છે. આ દષ્ટિએ બાહ્ય વસ્તુઓ અને પરિસ્થિતિઓનું મહત્ત્વ સ્વીકારવું પડશે કેમ કે કોઈ પણ કાર્યની ઉત્પત્તિમાં ઉપાદાનકારણની પ્રધાનતા હોવા છતાં પણ નિમિત્તકારણનો પણ ફાળો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy