SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ જૈન ધર્મ-દર્શન મધુર; (૧૨) આઠ સ્પર્શ - પરાઘાત, ગુરુ, લઘુ, મૃદુ, કર્કશ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ; (૧૩) ચાર આનુપૂર્વીઓ — દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને નરકાનુપૂર્વી; (૧૪) બે ગતિઓ શુભવિહાયોગતિ અને અશુભવિહાયોગતિ. પ્રત્યેકપ્રકૃતિઓમાં નીચે જણાવેલી આઠ પ્રકૃતિઓ સમાવેશ પામે છે ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થંકર, નિર્માણ અને ઉપઘાત. ત્રસદશકમાં નીચે જણાવેલી પ્રકૃતિઓ છે - · ત્રસ, બાદ૨, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આઠેય અને યશઃકીર્તિ. સ્થાવરદશકમાં ત્રણદશકથી ઊલટી દસ પ્રકૃતિઓ સમાવિષ્ટ છે સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુઃસ્વર, અનાદેય અને અયશઃકીર્તિ. આમ નામકર્મની ઉપર ગણાવેલી એકસો ત્રણ (૭૫ પિંડપ્રકૃતિઓ + ૮ પ્રત્યેકપ્રકૃતિઓ + ૧૦ ત્રસદશક + ૧૦ સ્થાવરદર્શક) ઉત્તરપ્રકૃતિઓ છે. આ પ્રકૃતિઓના આધારે જીવોનાં શારીરિક વૈવિધ્યનું નિર્માણ થાય છે. ૧ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ➖➖➖➖ - - ગોત્રકર્મની બે ઉત્તરપ્રકૃતિઓ છે ઉચ્ચ અને નીચ. જે કર્મના ઉદયના કારણે જીવ ઉચ્ચ કુલમાં જન્મ લે છે તેને ઉચ્ચગોત્ર કર્મ કહે છે. જે કર્મના ઉદયના કારણે જીવ નીચ કુલમાં જન્મ લે છે તેને નીચગોત્ર કર્મ કહે છે. ઉચ્ચ કુલનો અર્થ છે સંસ્કારી અને સદાચારી કુલ. નીચ કુલનો અર્થ છે અસંસ્કારી અને આચારહીન કુલ. - Jain Education International શારીરિક (માનસિક સહિત) વૈવિધ્યનાં કારણોમાં પ્રધાનપણે બે પ્રકારનાં કર્મો સમાવેશ પામે છે નામ અને ગોત્ર. નામકર્મ સંક્ષેપમાં શુભ અને અશુભ શરીરનું કારણ છે જ્યારે ગોત્રકર્મ શારીરિક ઉચ્ચત્વ અને નીચત્વનું કારણ છે. શુભ શરીર સુખનું કારણ બને છે અને અશુભ શરીર દુઃખનું કારણ બને છે. એ જ રીતે ઉચ્ચત્વ સુખનું અને નીચત્વ દુઃખનું કારણ છે. શુભ શરીર અને ઉચ્ચ શરીરમાં તેમ જ અશુભ શરીર અને નીચ શરીરમાં શું અંતર છે જેના કારણે નામ અને ગોત્ર એ બે પ્રકારનાં કર્મોની અલગ અલગ વ્યવસ્થા કરવી પડી ? જ્યારે નામકર્મથી સંપૂર્ણ શારીરિક વૈવિધ્યનું નિર્માણ થઈ શકે છે જેમાં શુભત્વ, અશુભત્વ, ઉચ્ચત્વ, નીચત્વ, સુરૂપત્વ, કુરૂપત્વ આદિ સમસ્ત કાયિક સદ્ગુણ-દુર્ગુણ સમાવેશ પામે છે ત્યારે ગોત્રકર્મની અલગ માન્યતાથી શો લાભ ? જૈન કર્મવ્યવસ્થાને જોવાથી એવું જણાય છે કે નામકર્મનો સંબંધ વ્યક્તિના તે શારીરિક ગુણો સાથે છે જે તેના પોતાના છે અર્થાત્ જેમનો કોઈ કુલવિશેષ કે વંશવિશેષ — - ૧. નામકર્મ સંબંધી વિશેષ વિવેચન માટે જુઓ – કર્મગ્રન્થ, પ્રથમ ભાગ અર્થાત્ કર્મવિપાક (પંડિત સુખલાલજીકૃત હિન્દી અનુવાદ સાથે), પૃ. ૫૮-૧૦૫; Outlines of Jaina Philosophy (M. L. Mehta), પૃ. ૧૪૨-૧૪૫; Outlines of Karma In Jainism (M.L.Mehta), પૃ. ૧૦-૧૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy