SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદ્ધાન્ત ૩૧૧ ચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. આંખને છોડી બાકીની ઇન્દ્રિયો તથા મનથી પદાર્થોનો જે સામાન્ય પ્રતિભાસ થાય છે તેને અચસુન્દર્શન કહે છે. આ જાતના દર્શનને આવૃત કરનારું કર્મ અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. ઇન્દ્રિય અને મનની સહાયતાની અપેક્ષા રાખ્યા વિના જ આત્મા દ્વારા રૂપી પદાર્થોનો જે સામાન્ય બોધ થાય છે તેનું નામ અવધિદર્શન છે. આ જાતના દર્શનને આવૃત કરનારું કર્મ અવધિદર્શનાવરણીય કર્મ કહેવાય છે. સંસારના બધા સૈકાલિક પદાર્થોનો સામાન્યાવબોધ કેવલદર્શન કહેવાય છે. આ જાતના દર્શનને આવૃત કરનારું કર્મ કેવલદર્શનાવરણીય કર્મના નામે પ્રસિદ્ધ છે. નિદ્રા આદિ પાંચ અવસ્થાઓ પણ દર્શનાવરણીય કર્મનું જ કાર્ય છે. જે ઊંઘતી વ્યક્તિ થોડોક અવાજ થતાં જ જાગી જાય અર્થાત જેને જગાડવા પરિશ્રમ કરવો ન પડે તેની ઊંઘને નિદ્રા કહે છે. જે કર્મના ઉદયથી આ જાતની ઊંઘ આવે તે કર્મનું નામ પણ નિદ્રા છે. જે ઊંઘતી વ્યક્તિ બૂમબરાડાથી, હાથથી જોરથી હચમચાવવાથી, વગેરેથી બહુ મુશ્કેલીથી જાગે તેની ઊંઘ અને તેના કારણભૂત કર્મ બન્નેને નિદ્રાનિદ્રા કહે છે. ઊભા ઊભા કે બેઠા બેઠા આવતી ઊંઘનું નામ પ્રચલા છે. તેનું હેતુભૂત કર્મ પણ પ્રચલા કહેવાય છે. હાલતાચાલતા આવતી ઊંઘને પ્રચલાપ્રચલા કહે છે અને તેના કારણભૂત કર્મને પણ પ્રચલપ્રચલા કહે છે. દિવસે કે રાતે વિચારેલ કાર્યવિશેષને નિદ્રાવસ્થામાં પૂરું કરી નાખવાનું નામ સ્યાનદ્ધિ છે. જે કર્મના ઉદયથી આ જાતની ઊંઘ આવે તે કર્મનું નામ પણ સ્થાનદ્ધિ અથવા સ્યાનગૃદ્ધિ છે. વેદનીય અથવા વેદ્ય કર્મની બે ઉત્તરપ્રકૃતિઓ છે – સાતવેદનીય અને અસતાવેદનીય. જે કર્મના ઉદયના કારણે જીવને અનુકૂલ વિષયોની પ્રાપ્તિથી સુખનો અનુભવ થાય છે તેને સાતાવેદનીય કર્મ કહે છે. અને જે કર્મના ઉદયના કારણે જીવને પ્રતિકૂલ વિષયોની પ્રાપ્તિ દ્વારા દુઃખનું સંવેદન થાય છે તેને અસતાવેદનીય કર્મ કહે છે. આત્માને વિષયનિરપેક્ષ સ્વરૂપસુખનું સંવેદન કોઈ પણ કર્મના ઉદયની અપેક્ષા ન રાખતાં સ્વતઃ થાય છે. આ જાતનું વિશુદ્ધ સુખ આત્માનો નિજ ધર્મ છે. તે સાધારણ સુખની કોટિથી ઉપર છે. મોહનીય કર્મની મુખ્ય બે ઉત્તરપ્રકૃતિઓ છે– દર્શનમોહ અર્થાત્ દર્શનનો ઘાત કરનારી પ્રકૃતિ અને ચારિત્રમોહ અર્થાતું ચારિત્રનો ઘાત કરનારી પ્રકૃતિ. જે પદાર્થ જેવો છે તેને તેવો જ સમજવો એનું નામ દર્શન છે. આ તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ આત્મગુણ છે. આ ગુણનો ઘાત કરનાર કર્મનું નામ દર્શનમોહનીય કર્મ છે. જેના દ્વારા આત્મા પોતાના યથાર્થ સ્વરૂપને પામે છે તેને ચારિત્ર કહે છે. ચારિત્રનો ઘાત કરનારું કર્મ ચારિત્રમોહનીય કર્મ કહેવાય છે. દર્શનમોહનીય કર્મના વળી ત્રણ ભેદ છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy