SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ-દર્શન દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય કર્મ આત્માના મૂળ ગુણ જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યનો ઘાત કરે છે તથા વેદનીય, આયુ, નામ અને ગોત્ર કર્મ શરીરની વિવિધ અવસ્થાઓનું નિર્માણ કરે છે. આ રીતે એ આઠ પ્રકારનાં કર્મોનો સાક્ષાત્ સંબંધ આત્મા અને શરીર સાથે જ છે, અન્ય પદાર્થો અને ઘટનાઓ સાથે નથી. પરંપરાથી સ્વેતર પદાર્થો અને ઘટનાઓ સાથે પણ કર્મોનો સંબંધ હોઈ શકે છે, જો એવું સિદ્ધ થાય તો. ૩૦૬ જો કર્મોનો સીધો સંબંધ આત્મા અને શરીર સાથે છે તો પછી ધન-સમ્પત્તિ આદિની પ્રાપ્તિને પુણ્યકર્મજન્ય કેમ માનવામાં આવે છે ? જો ધન-સમ્પત્તિ આદિ દ્વારા સુખ આદિની અનુભૂતિ થતી હોય તો શુભકર્મના ઉદયની નિમિત્તતાના કારણે બાહ્ય પદાર્થોને પણ ઉપચારથી પુણ્યકર્મજન્ય માની શકાય. હકીકતમાં, પુણ્યકર્મનું કાર્ય (ફળ) સુખ આદિની અનુભૂતિ છે, ધન વગેરેની પ્રાપ્તિ નહિ. ધન વગેરેની પ્રાપ્તિ થાય કે ન થાય પરંતુ જો સુખ આદિનો અનુભવ થાય તો તેને પુણ્ય યા શુભ કર્મોનું ફળ સમજવું જોઈએ. બાહ્ય પદાર્થોની નિમિત્તતા વિના પણ સુખ આદિની અનુભૂતિ થઈ શકે છે. આ જ વાત દુઃખ આદિની બાબતમાં પણ સમજવી જોઈએ. સુખદુઃખ યા અન્ય કોઈ પણ જાતની શારીરિક-માનસિક-આત્મિક અનુભૂતિનું મૂળ કારણ આન્તરિક છે, બાહ્ય નથી. કર્મનો સંબંધ આ આન્તરિક કારણ સાથે છે, બાહ્ય વસ્તુઓ સાથે નથી. બાહ્ય વસ્તુઓની ઉત્પતિ, પ્રાપ્તિ, વિનાશ આદિ પોતપોતાનાં કારણોથી થાય છે, આપણાં કર્મોના કારણે નહિ. આપણાં કર્મો તો આપણા સુધી જ સીમિત છે, સર્વવ્યાપક નથી. જ્યારે આપણાં કર્મો આપણા સુધી જ સીમિત છે અર્થાત્ આપણાં શરીર અને આત્મા સુધી જ મર્યાદિત છે ત્યારે તે આપણા કર્મો આપણાથી ભિન્ન અતિ દૂરના પદાર્થોને કેવી રીતે ઉત્પન્ન કરી શકે, કેવી રીતે આકર્ષિત કરી શકે, કેવી રીતે આપણા સુધી પહોંચાડી શકે, કેવી રીતે વધારી કે ઘટાડી શકે, કેવી રીતે નષ્ટ કરી શકે, કેવી રીતે સુરક્ષિત રાખી શકે ? આ બધાં કાર્યો આપણાં કર્મોથી નહિ પરંતુ અન્યાન્ય કારણોથી થાય છે. સુખદુઃખ આદિની અનુભૂતિમાં નિમિત્ત, સહાયક અથવા ઉત્તેજક હોવાના કારણે ઉપચારથી યા પરંપરાથી બાહ્ય વસ્તુઓને પુણ્યકર્મો યા પાપકર્મોનું પરિણામ માની લેવામાં આવે છે. જૈન સિદ્ધાન્ત જીવની વિવિધ અવસ્થાઓને કર્મજન્ય માને છે, પરંતુ જગતનાં બધાં કાર્યોને કર્મજન્ય માનતો નથી. શરીર, ઇન્દ્રિયો, શ્વાસોચ્છ્વાસ, મન, વચન આદિ જીવની વિવિધ અવસ્થાઓ કર્મના કારણે થાય છે. અન્ય બધાં કાર્યો પોતપોતાનાં કારણોથી થાય છે. તેમનું કારણ કર્મ નથી. પત્ની યા પતિની પ્રાપ્તિ અથવા મરણ, પુત્ર યા પુત્રીની પ્રાપ્તિ યા મરણ, વ્યવસાયમાં નફો-નુકસાન, કોઈ જાતની આકસ્મિક દુર્ઘટના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy