SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદ્ધાન્ત ૨૯૭ હજાર વર્ષ છે. આ જ રીતે અન્ય કર્મોની બાબતમાં વિવિધ પ્રકારની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિને તેમ જ અબાધાકાલને જાણી લેવા જોઈએ. જીવ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ બાંધતી વખતે આઠ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે, વેદનીય કર્મ બાંધતી વખતે આઠ, સાત અથવા ચાર કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે, ઇત્યાદિ. ઉત્તરાધ્યયનના કર્મપ્રકૃતિ નામના તેત્રીસમા અધ્યયનમાં કર્મની આઠ મૂલપ્રકૃતિઓની અનેક ઉત્તરપ્રકૃતિઓને ગણાવવામાં આવી છે અને કર્મોનાં પ્રદેશ, ક્ષેત્ર, કાલ અને ભાવનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. જ્ઞાનાવરણીય કર્મના પાંચ ભેદો છે– (૧) આભિનિબોધિકજ્ઞાનાવરણ (૨) શ્રુતજ્ઞાનાવરણ, (૩) અવધિજ્ઞાનાવરણ, (૪) મન:પર્યયજ્ઞાનાવરણ અને (૫) કેવલજ્ઞાનાવરણ. દર્શનાવરણીય કર્મના નવ ભેદ છે– (૧) નિદ્રા, (૨) નિદ્રાનિદ્રા, (૩) પ્રચલા, (૪) પ્રચલાપ્રચલા, (૫) સ્વાનગૃદ્ધિ, (૬) ચક્ષુદર્શનાવરણ; (૭) અચક્ષુર્દર્શનાવરણ, (૮) અવધિદર્શનાવરણ અને (૯) કેવલદર્શનાવરણ. વેદનીય કર્મના બે ભેદ છે – (૧) સાતાવેદનીય અને (૨) અસતાવેદનીય. આ બેના વળી અનેક પેટાભેદો છે. મોહનીય કર્મના બે ભેદ છે – (૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમોહનીય. દર્શનમોહનીયના વળી ત્રણ ભેદ છે – (૧) સમ્યક્ત્વમોહનીય, (૨) મિથ્યાત્વમોહનીય અને (૩) સમ્યમિથ્યાત્વમોહનીય. ચારિત્રમોહનીયના બે ભેદ છે – (૧) કષાયમોહનીય અને (૨) નોકષાયમોહનીય. કષાયમોહનીયના વળી સોળ ભેદો છે અને નોકષાયમોહનીયના સાત અથવા નવ ભેદો છે. આયુકર્મના ચાર ભેદો છે– (૧) નરકાયુ, (૨) તિર્યગઆયુ, (૩) મનુષ્યઆયુ અને (૪) દેવઆયુ. નામકર્મના બે ભેદ છે – (૧) શુભનામ અને (૨) અશુભનામ. ગોત્રકર્મના બે ભેદ છે– (૧) ઉચ્ચગોત્ર અને (૨) નીચગોત્ર. આ બન્નેના વળી આઠ આઠ ભેદ થાય છે. અત્તરાયકર્મના પાંચ ભેદ છે – (૧) દાનાન્તરાય, (૨) લાભાન્તરાય, (૩) ભોગાન્તરાય, (૪) ઉપભોગાન્તરાય અને (પ) વર્યાન્તરાય. આમ આગમસાહિત્યમાં કર્મવાદનું મૂળ માળખું સુરક્ષિત છે. ઉત્તરવર્તી કર્મસાહિત્યમાં આ જ માળખાનો વિવિધ રૂપોમાં વિકાસ થયો છે. કર્મનું સ્વરૂપ કર્મનો શાબ્દિક અર્થ કાર્ય, પ્રવૃત્તિ અથવા ક્રિયા થાય છે અર્થાત્ જે કંઈ કરવામાં આવે છે તેને કર્મ કહે છે જેમ કે જવું, પીવું, ચાલવું, દોડવું, રોવું, હસવું, વિચારવું, બોલવું વગેરે. વ્યવહારમાં કામધંધાને અથવા વ્યવસાયને કર્મ કહેવામાં આવે છે. ૧. પદ ૨૩, સૂત્ર ૨૧-૨૮. ૨. પદ ૨૫, સૂત્ર૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy