SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૭ કર્મસિદ્ધાન્ત પુરુષાર્થને આધીન છે. ક્યાંક દેવ પ્રધાન હોય છે તો ક્યાંક પુરુષાર્થ. તેથી દેવ અને પુરુષાર્થના વિષયમાં અનેકાન્તદષ્ટિ રાખવી જોઈએ. જૈન સિદ્ધાન્તમાં ચેતન અને જડ પદાર્થોના નિયત્રક અને નિયામકના રૂપમાં પુરુષવિશેષની અર્થાત્ ઈશ્વરની સત્તા સ્વીકારવામાં નથી આવી. વિશ્વ અનાદિ અને અનન્ત છે તથા જીવ સ્વકૃત કર્મો અનુસાર તેમાં જન્મ-મરણનો અનુભવ કર્યા કરે છે. આ ચક્ર કોઈ પુરુષવિશેષની સહાયતા વિના સ્વભાવતઃ સ્વતઃ ચાલ્યા કરે છે. કર્મથી જ પ્રાણીનાં જન્મ, સ્થિતિ, મરણ વગેરેની સિદ્ધિ થઈ જાય છે. કર્મ પોતાના નૈસર્ગિક સ્વભાવ અનુસાર સ્વતઃ ફલ આપવામાં સમર્થ છે. કર્મનું અસ્તિત્વ જીવોમાં કર્મજન્ય અનેક વિચિત્રતાઓ જોવા મળે છે. આ વિચિત્રતાઓમાં સુખદુઃખનું વિશેષ સ્થાન છે. કર્મના અસ્તિત્વની સિદ્ધિ માટે જે તર્કો આપવામાં આવે છે તેમાં સુખ-દુઃખ ઉપર આધારિત તર્ક મુખ્ય છે. આ તર્ક આ પ્રમાણે છે : સુખ-દુઃખનું કોઈ કારણ અવશ્ય હોવું જોઈએ, કેમ કે તે કાર્ય છે, જેમ કે અંકુરરૂપ કાર્યનું કારણ બીજ છે. સુખ-દુઃખરૂપ કાર્યનું જ કારણ છે તે જ કર્મ છે. અહીં કોઈ કહી શકે કે જો સુખદુઃખનું કોઈ દૃષ્ટ કારણ સિદ્ધ હોય તો કર્મરૂપ અદૃષ્ટ કારણનું અસ્તિત્વ માનવાની શી આવશ્યકતા છે ? ચન્દન આદિ પદાર્થ સુખનાં તથા સર્પવિષ આદિ દુ:ખનાં જનક કારણો સિદ્ધ છે. આ દષ્ટ કારણોને છોડી અદૃષ્ટ કારણ કર્મની સત્તાને સ્વીકારવાની કોઈ આવશ્યકતા જણાતી નથી. આ શંકાનું સમાધાન કરતાં કહેવામાં આવ્યું છે કે દૃષ્ટ કારણોમાં દોષ દેખાય છે. એટલે અદષ્ટ કારણનો સ્વીકાર કરવો અનિવાર્ય થઈ પડે છે. સુખ-દુઃખનાં દૃષ્ટ કારણો એકસરખાં સમાનપણે વિદ્યમાન હોવા છતાં પણ તેમનાં કાર્યોમાં જે તારતમ્ય દેખાય છે તે અકારણ તો ન હોઈ શકે. તે તારતમ્યનું જે અદૃષ્ટ કારણ છે તે જ કર્મ છે. કર્મસાધક બીજો તર્ક આ પ્રમાણે છે: આદ્ય બાલશરીર દેહાન્તરપૂર્વક છે કારણ કે તે ઇન્દ્રિય આદિથી યુક્ત છે, જેમ કે યુવાદેહ બાલદેહપૂર્વક છે. આદ્ય બાલશરીર જે દેહપૂર્વક છે તે જ કર્મ (કાર્પણ શરીર) છે. ૧. આપ્તમીમાંસા, ૮૪૯૧. ૨. વિશેષાવશ્યકભાષ્ય, ૧૬૧૦-૧૯૧૨ ૩. એજન, ૧૬૧૨-૧૬૧૩. ૪. એજન, ૧૬૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy