SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાનો ઇતિહાસ મુક્તિલાભનો કાળ ઈ.સ. પૂર્વે પર૭ આવે છે. તે ૭૨ વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા હતા એટલે તેમનો જન્મસમય ઈ.સ. પૂર્વ પ૯૯ આસપાસનો આવે છે. બૌદ્ધ આગમગ્રન્થોમાં નાટપુત્ત(ણાયપુત્ત – જ્ઞાતપુત્ર) અને નિગંઠો (ણિગંથો – નિર્ઝન્યો) અર્થાત મહાવીર અને જૈનો અંગે ઘણા બધા ઉલ્લેખો મળે છે. તે ઉલ્લેખોમાં નાટપુરનું પાવામાં મરણ તે વખતે ઉ@િખત થયું છે જ્યારે બુદ્ધ ધર્મોપદેશ કરવામાં લાગેલા હતા. હેમચન્દ્રના મતે ચન્દ્રગુપ્તના રાજ્યાભિષેકથી ૧પપ વર્ષ પહેલાં મહાવીર નિર્વાણ પામ્યા હતા. તદનુસાર મહાવીરનો જીવનકાળ ઈ.સ. પૂર્વ પ૪૯ થી ૪૭૭ની આસપાસ આવે છે અર્થાત્ મહાવીરનું મરણ બુદ્ધના મરણ પછી થોડાક સમયે થયું. કેટલાક વિદ્વાનો આ મતનું સમર્થન કરે છે. એમાં કોઈ શક નથી કે પાર્થ મહાવીરથી ર૫૦ વર્ષ પહેલાં થયા હતા. જૈન આગમોમાં એવો ઉલ્લેખ છે કે મહાવીરના માતા-પિતા પાર્શ્વના, જેમનું મરણ મહાવીરના મરણ(ઈ.સ. પૂર્વ પ૨૭)થી ૨૫૦ વર્ષ પહેલાં થયું હતું તેમના અનુયાયી હતા. પાર્શ્વનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું એટલે તેમનો જીવનકાળ ઈ.સ. પૂર્વ ૮૭૭૭૭૭ આવે છે. મહાવીર કોઈ નવા ધર્મના પ્રવર્તક ન હતા પરંતુ એક એવા ધર્મના સંશોધક અને આરાધક હતા જે ધર્મ બહુ પહેલેથી ચાલતો આવ્યો હતો. ઉત્તરાધ્યયનસૂત્ર(અ.૨૩)માંથી આ અંગે સારી એવી પૂરતી જાણકારી મળે છે. તેમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે: પાર્થપરંપરાના કેશી નામના એક પ્રસિદ્ધ આચાર્ય હતા. તે એકવાર પોતાના શિષ્યો સાથે શ્રાવસ્તી નગરીએ પહોંચ્યા અને ત્યાંના તિન્દુક નામના ઉદ્યાનમાં રહ્યા. તે વખતે મહાવીરના (વર્ધમાનના) મુખ્ય શિષ્ય ગૌતમ ઇન્દ્રભૂતિ પણ પોતાના શિષ્યમંડળ સાથે શ્રાવસ્તી પહોંચ્યા અને ત્યાંના કોઇક નામના ઉદ્યાનમાં રહ્યા. બન્નેના શિષ્યો સંયમ અને તપને ધારણ કરનારા હતા. તેમના મનમાં આ જાતનો વિચાર ઉદ્ભવ્યો : શું અમારા લોકોનાં વ્રત-નિયમ સાચાં છે કે તે લોકોના ? શું અમારા લોકોના સિદ્ધાન્ત યોગ્ય છે કે તે લોકોના? પાર્શ્વનો ચાર વ્રતોવાળો ધર્મ બરોબર છે કે મહાવીરનો પાંચ વ્રતોવાળો? શું સાધુઓને વસ્ત્ર ધારણ કરવાનો નિષેધ કરતો નિયમ સાચો છે કે મુનિઓને વસ્ત્ર ધારણ કરવાની અનુમતિ આપતો નિયમ સાચો છે? બન્નેનો ઉદ્દેશ્ય એક જ હોવા છતાં પણ આ અત્તર કેમ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy