SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદ્ધાન્ત ૨૮૧ છે, કહો કે મહદંશે સ્વતંત્ર છે. કૃતકર્મને ભોગવ્યા વિના મુક્તિ મળી શકતી નથી એ સાચું પરંતુ એ અનિવાર્ય નથી કે જીવે અમુક સમયમાં અમુક કર્મ ઉપાર્જિત કરવાં જ જોઈએ. આન્તરિક શક્તિ અને બાહ્ય પરિસ્થિતિને દૃષ્ટિમાં રાખીને જીવ નવાં કર્મોનું ઉપાર્જન રોકી શકે છે. એટલું જ નહિ પણ અમુક હદ સુધી તો તે પૂર્વકૃત કર્મોને શીધ્ર યા મોડા પણ ભોગવી શકે છે અથવા પારસ્પરિક પરિવર્તન પણ પૂર્વકૃત કર્મોનું કરી શકે છે. આમ કર્મવાદમાં સીમિત ઇચ્છા સ્વાતંત્ર્યનું સ્થાન અવશ્ય છે એ માનવું પડે છે. ઇચ્છા સ્વાતંત્ર્યનો અર્થ કોઈ જો એવો કરે કે “જે ઇચ્છે તે કરે' તો કર્મવાદમાં એવા સ્વાતત્યને કોઈ સ્થાન નથી. જીવ પોતાની શક્તિ અને બાહ્ય પરિસ્થિતિની અવહેલના કરીને કોઈ કાર્ય નથી કરી શકતો. જેવી રીતે તે પરિસ્થિતિઓનો દાસ છે તેવી રીતે તેને પોતાના પરાક્રમની પણ મર્યાદા છે, આ મર્યાદાને પણ તેણે ધ્યાનમાં લેવી પડે છે. આવું હોવા છતાં પણ તે કર્મ કરવામાં સર્વથા પરતત્ર નથી પરંતુ અમુક હદ સુધી સ્વતંત્ર છે. કર્મવાદમાં આ જ ઇચ્છા સ્વાતત્ય છે. આમ કર્મવાદનિયતિવાદ અને સ્વતંત્રતાવાદ વચ્ચેનો સિદ્ધાન્ત છે –મધ્યમવાદ છે. કર્મવાદ અને અન્ય વાદો વિશ્વવૈચિત્ર્યના કારણની ખોજ કરતા કેટલાક વિચારકોએ કર્મવાદના સ્થાને અને બદલે અન્ય વાદોની સ્થાપના કરી છે. આ વાદોમાં પ્રમુખ વાદો આ છે – કાલવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ, યદચ્છાવાદ, ભૂતવાદ, પુરુષવાદ, દૈવવાદ અને પુરુષાર્થવાદ. કાલવાદ – કાલવાદના સમર્થકો કહે છે કે વિશ્વની બધી જ વસ્તુઓ તથા પ્રાણીઓનાં સુખ-દુઃખ કાલાશ્રિત છે. કાલ જ બધાં ભૂતોનું સર્જન કરે છે તથા તેમનો સંહાર પણ કરે છે. કાલ જ પ્રાણીઓનાં શુભ-અશુભ પરિણામોનો જનક છે. કાલ જ પ્રજાનો સંકોચ અને વિસ્તાર કરે છે. અથર્વવેદ અનુસાર કાલે પૃથ્વીને ઉત્પન્ન કરી છે, કાલના આધારે સૂર્ય તપે છે, કાલના જ આધારે બધાં ભૂતો રહે છે. કાલના કારણે જ આંખો દેખે છે, કાલ જ ઈશ્વર છે, કાલ પ્રજાપતિના પણ પિતા છે, કાલ સૌપ્રથમ દેવ છે, કાલથી ચડિયાતી કોઈ શક્તિ નથી.'મહાભારતમાં પણ કહેવામાં આવ્યું છે કે કર્મ અર્થાત્ યજ્ઞયાગાદિ કર્મ સુખ-દુઃખનું કારણ નથી. મનુષ્ય કાલ દ્વારા જ સઘળું પ્રાપ્ત કરી શકે છે. બધાં કાર્યોનું કારણ કાલ જ છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં કાલવાદનું સ્વરૂપ નીચે ૧. અથર્વવેદનું કાલસૂક્ત (૧૯.૫૩-૫૪). ૨. મહાભારતનું શાન્તિપર્વ (અધ્યાય ૨૫,૨૮,૩૨ આદિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy