SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ જૈન ધર્મ-દર્શન (૩) કર્મનો કર્તા અને ભોક્તા એવો આત્મા નિરન્તર એક ભવથી બીજા ભવમાં ગમન કરે છે. કોઈ ને કોઈ ભવના માધ્યમ દ્વારા જ તે એક નિશ્ચિત કાલમર્યાદામાં રહીને પોતાનાં પૂર્વકૃત કર્મોને (કર્મફળને) ભોગવે છે તથા નવાં કર્મોને બાંધે છે. કર્મની આ પરંપરાને તોડવાનું તેની શક્તિની બહાર નથી. (૪) જન્મજાત વ્યક્તિભેદ કર્મજન્ય છે. વ્યક્તિવ્યક્તિના વ્યવહાર તથા સુખદુ:ખમાં જે અસામંજસ્ય અથવા અસમાનતા દેખાય છે તે કર્મજન્ય છે. (૫) કર્મબન્ધ અને કર્મભોગનો અધિષ્ઠાતા પ્રાણી પોતે જ છે. કર્મવાદ અને ઇચ્છાસ્વાતન્ય જીવ અનાદિકાળથી કર્મપરંપરામાં સપડાયેલો છે. પુરાણાં કર્મોનો ભોગ અને નવાં કર્મોનો બન્ધ અનાદિકાળથી ચાલતો આવ્યો છે. જીવ પોતાનાં કૃતકર્મોને ભોગવતો જાય છે અને નવીન કર્મોનું ઉપાર્જન પણ કરતો જાય છે. આટલું હોવા છતાં પણ એવું ન કહી શકાય કે જીવ સર્વથા કર્માધીન છે અર્થાત્ તે કર્મબન્ધને રોકવા સમર્થ નથી. જો જીવના પ્રત્યેક કાર્યને કર્માધીન જ માનવામાં આવે તો તે પોતાની આત્મશક્તિનો સ્વતંત્રતાપૂર્વક ઉપયોગ કેવી રીતે કરી શકશે? બીજા શબ્દોમાં, જીવને સર્વથા કર્માધીન માનતાં ઇચ્છા સ્વાતંત્ર્યનું કોઈ મૂલ્ય રહેતું નથી. પ્રત્યેક ક્રિયાને કર્મમૂલક માનતાં જીવનો ન તો પોતાની જાત પર કોઈ અધિકાર રહે છે કે ન તો બીજાઓ ઉપર. આવી પરિસ્થિતિમાં તેની સમસ્ત ક્રિયાઓ સ્વચાલિત યન્ત્રની જેમ સ્વતઃ સંચાલિત થતી રહેશે. જીવનમાં પુરાણાં કર્મો સ્વત: પોતાનાં ફળ આપતાં રહેશે અને જીવની તત્કાલીન નિશ્ચિત કર્માધીન પરિસ્થિતિ અનુસાર નવાં કર્મો બંધાતાં રહેશે જે સમયાનુસાર ભવિષ્યમાં પોતાનાં ફળ પ્રદાન કરીને કર્મપરંપરાને સ્વચાલિત યત્રની જેમ બરાબર આગળ ધપાવતાં રહેશે. પરિણામતઃ કર્મવાદ નિયતિવાદમાં અથવા અનિવાર્યતાવાદમાં પરિણત થઈ જશે તથા ઇચ્છા સ્વાતન્ય અથવા સ્વતંત્રતાવાદનું જીવના જીવનમાં કોઈ સ્થાન રહેશે નહિ. કર્મવાદને નિયતિવાદ અથવા અનિવાર્યતાવાદ ન ગણાય. કર્મવાદનું એ તાત્પર્ય હરગિજ નથી કે ઇચ્છાસ્વાતત્યનું કોઈ જ મૂલ્યનથી. કર્મવાદ એવું માનતો નથી કે જીવ જેમ કર્મનું ફળ ભોગવવામાં પરતત્ર છે તેમ કર્મનું ઉપાર્જન કરવામાં પણ પરત છે. કર્મવાદની માન્યતા અનુસાર જીવને પોતે કરેલાં કર્મોનાં ફળ કોઈને કોઈ રૂપમાં અવશ્ય ભોગવવાં પડે છે પરંતુ નવાં કર્મોનું ઉપાર્જન કરવામાં જીવ અમુક સીમા સુધી સ્વતંત્ર 9. Determinism or Necessitarianism. 2. Freedom of Will or Libertarianism. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy