SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ સાપેક્ષવાદ ૨૬૧ છે. એમ કહેવું ઠીક નથી કે વસ્તુનો એક અંશ ભેદ યા પરિવર્તન ધર્મવાળો છે અને બીજો અંશ અભેદ યા ધ્રૌવ્ય ધર્મયુક્ત છે. વસ્તુને ખંડ ખંડ કરીને અનેક ધર્મોની વસ્તુમાં સત્તા સ્વીકારવી સ્યાદ્વાદીને ઇષ્ટ નથી. જ્યારે આપણે વસ્ત્રને સંકોચ-વિકાસશીલ કહીએ છીએ ત્યારે આપણું તાત્પર્ય એક જ વસ્ત્રથી હોય છે. એ જ વસ્ત્ર સંકોચશીલ હોય છે અને એ જ વસ્ર વિકાસશીલ હોય છે. એવું નથી કે તેનો એક ભાગ સંકોચધર્મવાળો છે અને બીજો ભાગ વિકાસધર્મવાળો છે. વસ્તુના બે અલગ અલગ ખંડ કરીને ભેદ અને અભેદ એ બે ભિન્ન ધર્મો માટે બે જુદા આશ્રયોની કલ્પના કરવી એ સ્યાદ્વાદની મર્યાદાની બહાર છે. સ્યાદ્વાદ તો એકરૂપ વસ્તુને જ અનેક ધર્મોવાળી માને છે. ૩. તે ધર્મ જેમાં ભેદની કલ્પના કરવામાં આવે છે અને તે ધર્મ જેમાં અભેદને સ્વીકારવામાં આવે છે બન્નેનો સંબંધ શો છે ? તે બન્ને પરસ્પર ભિન્ન છે કે અભિન્ન ? ભિન્ન માનીએ તો વળી પાછો પ્રશ્ન ખડો થાય કે તે ભેદ જેમાં રહે છે તેનાથી તે ભિન્ન છે કે અભિન્ન ? આ રીતે અનવસ્થાનો સામનો કરવો પડશે ? અભિન્ન માનીએ તો પણ આ જ દોષ આવે છે. આ અભેદ જેમાં રહે છે તેનાથી તે ભિન્ન છે કે અભિન્ન ? બન્ને પરિસ્થિતિઓમાં પુનઃ સંબંધનો પ્રશ્ન ખડો થઈ જાય છે. આમ ગમે તે કરો તો પણ અનવસ્થામાંથી મુક્તિ મળી શક્તી નથી. આ પ્રમાણે સ્યાદ્વાદ ઉપર અનવસ્થાદોષનું આરોપણ કરવામાં આવે છે. અનવસ્થાનો આ દોષ સ્યાદ્વાદમાં આવતો જ નથી. સ્યાદ્વાદ આ દોષથી રહિત છે. જૈન દર્શન એ તો માનતું જ નથી કે ભેદ અલગ છે અને તે ભેદ જેમાં રહે છે તે ધર્મ અલગ છે. તેવી જ રીતે જૈન દર્શન એ પણ સ્વીકારતું નથી કે અભેદ જુદો છે અને અભેદ જેમાં રહે છે તે ધર્મ તેનાથી ભિન્ન છે. વસ્તુના પરિવર્તનશીલ સ્વભાવને જ ભેદ કહે છે અને તેના અપરિવર્તનશીલ સ્વભાવનું નામ જ અભેદ છે. ભેદ નામનો કોઈ ભિન્ન પદાર્થ આવીને તેની સાથે સંબંધિત થતો હોય અને તેના સંબંધના કારણે વસ્તુમાં ભેદની ઉત્પત્તિ થતી હોય એવી વાત નથી. તેવી જ રીતે અભેદ પણ કોઈ સ્વતન્ત્ર પદાર્થ નથી જે કોઈક સંબંધ દ્વારા વસ્તુમાં રહેતો હોય. વસ્તુ પોતે જ ભેદાભેદસ્વભાવ છે. જો આવું છે તો પછી સંબંધનો પ્રશ્ન જ ઊઠતો નથી. જો સંબંધનો પ્રશ્ન જ વ્યર્થ છે તો પછી અનવસ્થાદોષની વ્યર્થતા પણ સ્વતઃ સિદ્ધ જ છે, આ કહેવાની આવશ્યકતા જ નથી. ૪. જ્યાં ભેદ છે ત્યાં જ અભેદ છે અને જ્યાં અભેદ છે ત્યાં જ ભેદ છે. ભેદ અને અભેદના આશ્રયો અલગ અલગ ન હોવાથી બન્ને એકરૂપ બની જશે. ભેદ અને અભેદની એકરૂપતાનો અર્થ છે સંકર. આમ સ્યાદ્વાદ સંકરદોષથી દૂષિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy