SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ જૈન ધર્મ-દર્શન કે વ્યક્તિની વર્તમાનકાલીન યોગ્યતાનો નિર્દેશ ભાવનિક્ષેપ છે. આ ચારે નિક્ષેપોમાં રહેનારો જે વિવક્ષિત અર્થ છે તે સ્વરૂપ અથવા સ્વાત્મા કહેવાય છે. સ્વાત્માથી ભિન્ન અર્થ પરાત્મા યા પરરૂપ છે. વિવક્ષિત અર્થની દૃષ્ટિએ ઘટ છે અને તદિતર દૃષ્ટિએ ઘટ નથી. જો ઇતર દૃષ્ટિએ પણ ઘટ હોય તો નામ આદિ વ્યવહારનો (નિક્ષેપનો) ઉચ્છેદ થઈ જાય. - સ્વરૂપનો બીજો અર્થ આ છે વિવક્ષિત ઘટવિશેષનાં જે પ્રતિનિયત સંસ્થાન આદિ છે તે સ્વાત્મા છે. બીજા પ્રકારનાં સંસ્થાનાદિ પરાત્મા છે. પ્રતિનિયત રૂપે ઘટ છે. ઈતર રૂપે ઘટ નથી. જો ઇતર રૂપે પણ ઘટ હોય તો બધું ઘટાત્મક બની જાય. પટ આદિ કોઈનું સ્વતન્ત્ર અસ્તિત્વ ન રહે. કાલની અપેક્ષાએ પણ સ્વાત્મા અને પરમાત્માનું અર્થગ્રહણ થાય છે. ઘટની પૂર્વ અને ઉત્તર કાલોમાં રહેનારી કુશૂલ, કપાલ આદિ અવસ્થાઓ પરાત્મ! છે. તદન્તરાલવર્તી અવસ્થા સ્વાત્મા છે. ઘટ કુશૂલ, કપાલ આદિની અન્તરાલવર્તી અવસ્થાની દૃષ્ટિએ સત્ છે; કુશૂલ, કપાલ આદિ અવસ્થાઓની દૃષ્ટિએ સત્ નથી. જો આ અવસ્થાઓની દૃષ્ટિએ પણ સત્ હોય તો તે તે સમયે પણ ઉપલબ્ધ થાય, તેને માટે પુરુષને પ્રયત્ન કરવો ન પડે. સ્વાત્મા અને પરાત્માનો એક અર્થ આ પણ છે પ્રતિક્ષણભાવી દ્રવ્યની જે પર્યાયોત્પત્તિ છે તે સ્વાત્મા છે અને જે અતીત અને અનાગત પર્યાયવિનાશ તથા પર્યાયોત્પત્તિ છે તે પરાત્મા છે. પ્રત્યુત્પન્ન પર્યાયની અપેક્ષાએ ઘટ છે અને અતીત તથા અનાગત પર્યાયોની અપેક્ષાએ ઘટ નથી. જો અતીત અને અનાગત પર્યાયોની અપેક્ષાએ ઘટ સત્ હોય તો એક જ ક્ષણમાં ઘટની બધી અવસ્થાઓ ઉપલબ્ધ થઈ જાય. આવી પરિસ્થિતિમાં અતીત, વર્તમાન અને અનાગતનો કોઈ ભેદ જ ન રહે. ----- દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની દૃષ્ટિએ સ્વરૂપ અને પરરૂપનું અહીં વિવેચન કરવું અનુચિત નહિ રહે. જો કે ઉપરના વિવેચનમાં તેમનો સમાવેશ થઈ જાય છે તેમ છતાં વિશેષ સ્પષ્ટીકરણ માટે આ ઉપયોગી બનશે. ઘટનું દ્રવ્ય માટી છે. જે માટીથી ઘટ બનેલો છે તેની અપેક્ષાએ તે સત્ છે. અન્ય દ્રવ્યની અપેક્ષાએ તે સત્ નથી. ક્ષેત્રનો અર્થ છે સ્થાન. જે સ્થાન ઉ૫૨ ઘટ છે તે સ્થાનની અપેક્ષાએ સત્ છે. અન્ય સ્થાનોની અપેક્ષાએ તે અસત્ છે. કાલની બાબતમાં આપણે જોઈ ગયા છીએ. જે સમયે ઘટ છે તે સમયની અપેક્ષાએ ઘટ સત્ છે અને તે સમયથી ભિન્ન સમયની અપેક્ષાએ ઘટ અસત્ છે. ભાવનો અર્થ છે પર્યાય કે આકારવિશેષ. જે આકાર યા પર્યાયનો ઘટ છે તેની અપેક્ષાએ તે સત્ છે. દિતર આકારો યા પર્યાયોની અપેક્ષાએ તે અસત્ છે. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવની અપેક્ષાએ ઘટ છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy