SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ સાપેક્ષવાદ ૨૫૭ માટે કટેલીય વાર ‘જ’ (વ)નો પ્રયોગ પણ કરવામાં આવે છે, જેમ કે અમુક દૃષ્ટિએ ઘટ છે જ, ઇત્યાદિ. આ ‘જ’ નિશ્ચિતપણે ઘટનું અસ્તિત્વ પ્રગટ કરે છે. ‘જ’ નો પ્રયોગ ન થયો હોય તો પણ પ્રત્યેક કથનને નિશ્ચયાત્મક જ સમજવું જોઈએ. સ્યાદ્વાદ સન્દેહ કે અનિશ્ચયનો સમર્થક નથી એ વાત કહેવાઈ ગઈછે. ‘જ’નો પ્રયોગ થયો હોય કે ન થયો હોય પરંતુ જો કોઈ વચનપ્રયોગ સ્યાદ્વાદસંબંધી હોય તો એ નિશ્ચિત છે કે તે ‘જ’- પૂર્વક જ હોય. આ જ પ્રમાણે ‘સ્યાત્' (અમુક દૃષ્ટિએ કે અપેક્ષાએ) શબ્દના અંગે પણ સમજવું જોઈએ. તેનો પ્રયોગ ન થયો હોય તો પણ સંદર્ભ ઉ૫૨થી તેને સમજી લેવામાં આવે છે.૧ ‘અમુક દૃષ્ટિએ ઘટ છે' એનો શું અર્થ છે ? કઈ અપેક્ષાએ ઘટ છે ? સ્વરૂપની અપેક્ષાએ ઘટ છે અને પરરૂપની અપેક્ષાએ ઘટ નથી. બધું સ્વરૂપની અપેક્ષાએ છે અને પરરૂપની અપેક્ષાએ નથી. જો એવું ન હોય તો બધું સત્ બની જાય અથવા સ્વરૂપની કલ્પના જ અસંભવ થઈ જાય. કોઈ પણ પદાર્થ સ્વરૂપની દષ્ટિએ સત્ છે અને પરરૂપની દૃષ્ટિએ અસત્ છે. જો તે એકાન્તપણે સત્ હોય તો તે સર્વત્ર અને સર્વદા ઉપલબ્ધ થવો જોઈએ, કેમ કે તે હમેશાં અને સર્વથા સત્ છે. જે હમેશાં સત્ હોય તે ક્યારેક ન હોય એવું બને નહિ. જે હમેશાં સત્ હોય તે કાદાચિત્ક ન હોય. સ્વરૂપ શું છે અને પરરૂપ શું છે એનો અનેક દૃષ્ટિએ વિચાર કરી શકાય છે. આપણે કેટલીક દૃષ્ટિઓથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે સ્વરૂપ અને પરરૂપથી શું અભિપ્રેત છે. સ્વરૂપથી શું સમજવું જોઈએ? પરરૂપનો શો અર્થ ક૨વો જોઈએ ? નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ દ્વારા જેની વિવક્ષા હોય છે તે સ્વરૂપ યા સ્વાત્મા છે. વક્તાના પ્રયોજન અનુસાર અર્થનું ગ્રહણ કરવું સ્વાત્માનું ગ્રહણ કહેવાય છે. આ પ્રયોજન ભાષાના વિવિધ પ્રયોગોમાં વ્યક્ત થાય છે. પ્રત્યેક શબ્દનો મોટે ભાગે ચાર અર્થોમાં વિભાગ ક૨વામાં આવે છે. આ અર્થવિભાગને ન્યાસ (નિક્ષેપ) કહેવામાં આવે છે. આ વિભાગો છે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. સામાન્યપણે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનું નામ પાડવું કે રાખવું એ નામનિક્ષેપ છે. વસ્તુ કે વ્યક્તિની મૂર્તિ, ચિત્ર આદિ સ્થાપનાનિક્ષેપ છે. વસ્તુ કે વ્યક્તિની ભૂત યા ભવિષ્યત્ કાલમાં રહેનારી યોગ્યતાનો તે જ વસ્તુ કે વ્યક્તિ ઉપર વર્તમાનમાં આરોપ કરવો દ્રવ્યનિક્ષેપ છે. વસ્તુ १. अप्रयुक्तोऽपि सर्वत्र स्यात्कारोऽर्थात् प्रतीयते । विधौ निषेधेऽप्यन्यत्र कुशलश्चेत् प्रयोजकः ॥ ૨. સર્વમસ્તિ સ્વરૂપેણ પર પેળ નાસ્તિ વા अन्यथा सर्वसत्त्वं स्यात् स्वरूपस्याप्यसम्भवः ॥ Jain Education International લઘીયસ્ત્રય, ૬૩. For Private & Personal Use Only www.jainelibrary.org:
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy