SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ સાપેક્ષવાદ ૨૩૫ ગૌતમઅસુચ્છિત્તિનયની અપેક્ષાએ શાશ્વત છે, બુચ્છિત્તિનયની અપેક્ષાએ અશાશ્વત છે. આમ વૈમાનિક દેવો અંગે પણ સમજવું જોઈએ.' અબુચ્છિત્તિનય એટલે દ્રવ્યાર્થિકનય અને વ્યચ્છિત્તિનય એટલે પર્યાયાર્થિકનય. જેમ જીવ સામાન્યને દ્રવ્યની અપેક્ષાએ નિત્ય કહેવામાં આવેલ છે તેમ જ નારક આદિ જીવોને પણ જીવદ્રવ્યની અપેક્ષાએ નિત્ય કહેવામાં આવેલ છે. જેમ જીવ સામાન્યને નરક વગેરે ગતિરૂપ પર્યાયોની અપેક્ષાએ અનિત્ય કહેવામાં આવેલ છે તેમ જ નારક જીવને પણ તેની વિવિધ અવસ્થાઓરૂપ પર્યાયોની અપેક્ષાએ અનિત્ય કહેવામાં આવેલ જીવની નિત્યતા-અનિત્યતા અંગેની વાતને અધિક સ્પષ્ટાપૂર્વક સમજવા માટે એક વધુ સંવાદ આપીએ છીએ. ભગવાન મહાવીર જમાલિને આ વાત સમજાવી રહ્યા છે : ત્રણે કાળમાં એવી કોઈ ક્ષણ નથી જ્યારે જીવ ન હોય. તેથી જીવ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે ...... જીવ નારકાવસ્થાનો ત્યાગ કરી તિર્યચાવસ્થા પ્રાપ્ત કરે છે, તિર્યંચાવસ્થા છોડી મનુષ્ય બને છે, મનુષ્યમાંથી દેવ બને છે. આ વિભિન્ન અવસ્થાઓની દષ્ટિએ જીવ અનિત્ય છે. એક અવસ્થાનો ત્યાગ અને બીજી અવસ્થાનું ગ્રહણ અનિત્યતા વિના શક્ય નથી.' લોકની નિત્યતા-અનિત્યતા માટે જે હેતુ આપવામાં આવ્યો છે બરાબર તે જ હેતુ અહીં પણ રજૂ કરવામાં આવ્યો છે. ત્રણે કાળમાં જીવ જીવરૂપે અસ્તિત્વ ધરાવે છે, તેથી તે નિત્ય છે. તેની વિવિધ અવસ્થાઓ પરિવર્તન પામતી રહે છે, તેથી તે ૧. નેરડ્યા પ્રતિ! વિ સાસયા માયા ? गोयमा ! सिय सासया सिय असासया । તે હેં અંતે ! પર્વ qવ .... ? गोयमां ! अव्वोच्छित्तिणयट्ठयाए सासया, वोच्छित्तिणयट्ठयाए असासया । एवं जाव વેળિયા –એજન, ૭.૩.૨૭૯. सासए जीवे जमाली ! जं न कयाइ णासी, णो कयावि न भवति, ण कयावि ण भविस्सई, भुवि च भवई य भविस्सइ य, धुवे णितिए सासए अक्खए अव्वए अवट्ठिए णिच्चे। असासए जीवे जमाली ! जनं नेरइए भवित्ता तिरिक्खजोणिए भवइ, तिरिक्खजोणिए પવિત્તા મજુસે મવરૂ, પુસ્તે વિત્તા રે મવડું ! ભગવતીસૂત્ર, ૯૬.૩૮૭; ૧.૪.૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy