SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ સાપેક્ષવાદ ૨૩૩ લોકને ચાર રીતે જાણવામાં આવે છે - -દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યની અપેક્ષાએ લોક એક છે અને સાન્ત છે. ક્ષેત્રની અપેક્ષાએ લોક અસંખ્યાત યોજન કોટાકોટિવિસ્તારવાળો અને અસંખ્યાત યોજન કોટાકોટિ પરિક્ષેપ પ્રમાણવાળો કહેવાયો છે. તેથી ક્ષેત્રની અપેક્ષાએ લોક સાન્ત છે. કાળની અપેક્ષાએ કોઈ કાળ એવો નથી કે જ્યારે લોક ન હોય, તેથી લોક ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે. તેનો અન્ત નથી. ભાવની અપેક્ષાએ લોકના અનન્ત વર્ણપર્યાયો, ગન્ધપર્યાયો, રસપર્યાયો અને સ્પર્શપર્યાયો છે. અનન્ત સંસ્થાનપર્યાયો છે, અનન્ત ગુરુલઘુપર્યાયો છે અને અનન્ત અગુરુલઘુપર્યાયો છે. તેનો કોઈ અન્ન નથી. તેથી લોક દ્રવ્યદૃષ્ટિએ સાન્ત છે, ક્ષેત્રદૃષ્ટિએ સાન્ત છે, કાલષ્ટિએ અનન્ત છે અને ભાવદૃષ્ટિએ અનન્ત છે. લોકની સાન્તતા અને અનન્તતાનો ચાર દષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. દ્રવ્યની દૃષ્ટિએ લોક સાન્ત છે કેમ કે તે સંખ્યામાં એક છે. ક્ષેત્રની દૃષ્ટિએ પણ લોક સાન્ત છે કેમ કે સકલ આકાશના કેટલાક ભાગમાં જ લોક છે.તે ભાગ અસંખ્યાત કોટાકોટિ યોજનની પરિધિમાં છે. કાલની દૃષ્ટિએ લોક અનન્ત છે કેમ કે વર્તમાન, ભૂત અને ભવિષ્યત્ કાલની કોઈ ક્ષણ એવી નથી જેમાં લોકનું અસ્તિત્વ ન હોય. ભાવની દૃષ્ટિએ પણ લોક અનન્ત છે કેમ કે એક લોકના અનન્ત પર્યાયો છે. મહાવીરે સાન્નતા અને અનન્તતાનું પોતાની રીતે ઉપર્યુક્ત સમાધાન કર્યું. બુદ્ધે સાન્તતા અને અનન્તતા બન્નેને અવ્યાકૃતની કોટિમાં મૂકેલ છે. બુદ્ધે જીવની નિત્યતા અને અનિત્યતાના પ્રશ્નને પણ અવ્યાકૃતની કોટિમાં મૂક્યો. મહાવીરે આ પ્રશ્નનું સમાધાન સ્યાદ્વાદની દૃષ્ટિએ કર્યું. તેમણે મોક્ષપ્રાપ્તિ માટે આ જાતના પ્રશ્નોનું જ્ઞાન પણ જરૂરી માન્યું. આચારાંગના કેટલાંક પ્રારંભિક વાક્યોથી આ વાતની જાણકારી મળે છે જ્યાં સુધી એ જાણી ન લેવાય કે હું અર્થાત્ મારો જીવ એક १. एवं खलु मए खंदया ! चउव्विहे लोए पन्नत्ते, तंजहा - दव्वओ खेत्तओ कालओ भावओ । दव्वओ णं एगे लोए सअंते । खेत्तओ णं लोए असंखेज्जाओ जोयणकोडाकोडीओ । आयामविक्खंभेणं असंखेज्जाओ जोयणकोडाकोडीओ । परिक्खेवेणं पन्नत्ता । अत्थि पुण सअंते । कालओ णं लोए ण कयावि न आसी, न कयावि न भवति, न कयावि न भविस्सति, भविसु य भवति य भविस्सइ य, धुवे णितिए सासते अक्खए अव्वए अवट्ठिए णिच्चे, णत्थि पुण से अंते । भावओ णं लोए अनंता वण्णपज्जवा गंध० रस० फासपज्जवा, अणंता संठाणपज्जवा, अणंता गुरु य लहु य पज्जवा, अनंता अगुरु य लहु य पज्जवा, नत्थि पुण से अंते । से त्तं खंदगा ! दव्वओ लोए सअंते, खेत्तओ लोए सअंते, कालओ लोए अणंते, भावओ लोए અનંતે । ભગવતીસૂત્ર, ૨.૧.૯૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy